બોલીવુડમાં હાલ એક કપલ એવું બની ગયું છે, જે ખૂબ ચર્ચામાં રહે છે. સીધો ઇશારો મલાઇકા અરોરા અને અર્જુન કપૂર તરફ જ છે. બંનેનું અફેર પણ હવે સીક્રેટ રહેતું રહ્યું નથી. હાલના દિવસોમાં કપલ ક્યાંયને ક્યાંય સ્પૉટ થતું રહે છે. ખાસ વાત એ છે કે બંને હવે વેકેશન પર પણ સાથે જાય છે.
અરબાઝ ખાનથી ડિવાર્સ બાદ હવે મલાઇકા પૂરી રીતે અર્જુન સાથે પ્રેમમાં છે. થોડાક દિવસો અગાઉ બંને સાથે ન્યૂયોર્કમાં વેકેશન કર્યું હતું. જ્યાં અર્જુને પોતાની બર્થડે સેલિબ્રેટ તો કરી સાથે જ મલાઇકાની સાથે પણ ટામમ સ્પેન્ડ કર્યો.
હવે અર્જુન પોતાની મા ને કેટલો પ્રેમ કરે છે, એ દરેક લોકો જાણે છે. મા ના ગયા બાદ અર્જુને ખુદને બરોબર સંભાળ્યો અને બહેન અંશુલાનું પણ ધ્યાન રાખ્યું. અર્જુને હાથમાં એક ટેટૂ પણ બનાવ્યું છે. જે એને એની મા ને ડેડિકેટ કર્યું છે. હવે અર્જુન તાજેતરમાં એક નવુ ટેટૂ પણ બનાવી ચુક્યો છે.
ચર્ચા એવી થઇ રહી છે કે અર્જુને આ ટેટૂ મલાઇકા માટે બનાવ્યું છે. અર્જુનના ટેટૂનો ફોટો સામે આવતા જ અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે શું અર્જુને મલાઇકાના નામનું ટેટૂ બનાવ્યું છે. અર્જુન ટેટૂનો એક વીડિયો પણ શેર કર્યો છે. અર્જુનના ટેટૂની ચર્ચા હવે સોશિયલ મીડિયા પર ખૂબ થઇ રહ્યા છે.
હવે જણાવીએ છીએ કે આ ટેટૂ શું છે. અર્જુને પોતાના આર્મ પર લેટિન ભાષામાં Per Ardua Ad Astra લખાવ્યું છે. અંગ્રેજીમાં એનો મતલબ From adversity to the stars થાય છે તો હિંદીમાં એનો અર્થ સિતાકો કી ઓર છે. જાણકારી માટે જણાવી દઇએ કે તમે જો વિચારી રહ્યા છો કે આ ટેટૂ અર્જુને મલાઇકા માટે બનાવ્યું છે, તો બિલકુલ એવું નથી. હવે અર્જુને ટેટૂથી લોકોને એક વખત ફરીથી મલાઇકા અને એના માટે વાત કરવાની તક મળી છે.