છેલ્લા કેટલાક સમયથી કોરોના વાયરસને પગલે દેશ આખો જાણે થંભી ગયો છે. લોકોને સ્વાસ્થ્યની ચિંતા થઈ રહી છે તો બીજી તરફ મૃત્યુઆંક લોકોનું બ્લડ પ્રેશર વધારી રહ્યો છે. જોકે અહીં મહામારી સાથે જોડાયેલી બે મહાતસવીરોની તાસીર પણ અલગ અલગ છે. એક તરફ લોકો જીવ બચાવવા લોકડાઉનને અમલ કરી રહી છે. તો બીજી તરફ દેશની જનતાને અનાજ પુરુ પાડતો ધરતીપુત્ર ધ્રુજી રહ્યો છે .આ ધ્રુજારી બીજી કોઈ નહીં પરંતુ ખેડૂતોને મહામારી વચ્ચે સતાવી રહેલી મહામુસીબતની છે.
વાયરસના કહેરને કારણે ખેડૂતોનો માલ ખરીદાતો નથી. બીજી તરફ ધિરાણના પ્રશ્નો સતાવી રહ્યા છે. તો ત્રીજી બાજુ ભાવ નથી મળી રહ્યા. ત્યારે અહીં સવાલ એ થાય છે કે શું મહામારીના માર વચ્ચે ખેડૂતોને આર્થિક રાહત મળશે. માર્કેટ બંધ છે તો ખેડૂતોને આવક ક્યાંથી થશે. આગામી સિઝનમાં ખેડૂત શું કરશે .ધિરાણ મુદ્દે કોઈ સહાયની જોગવાઈ થશે .બિયારણ સમયસર નહીં આવે તો આવતી સીઝનમાં ખેડૂતોની શું સ્થિતિ થશે. શું મુશ્કેલીના સમયમાં મહામારીથી કેવી રીતે બેઠા થવાય તેનો કોઈ ઉપાય છે. આ સહિતના પ્રશ્નો પર છે આજનું મહામંથન