એમ્રિક્રૉન અને સબ વેરિઅન્ટને લઈ અનેક દાવાઓ સામે આવ્યા છે. જેમાં આ વેરિયન્ટ માનવના મજન માટે ખતરનાક હોવાનો દાવો કરાયો હતો. જેને ખોટો સાબિત કરવામાં આવ્યો છે.
એમ્રિક્રૉન અને સબ વેરિઅન્ટને લઈ અનેક દાવાઓ સામે આવ્યા
બીએ.5 લોકોના મગજ માટે ઘાતક ન હોવાનો દાવો
તપાસમાં કરાયા અનેક દાવોઓ
કોરોના વાયરસનું સંક્રમણ એકવાર ફરી ચીન, જાપાન સહિત દુનિયાના અનેક દેશમાં વધી રહ્યો છે. જેને લઈ વિશ્વના દેશો અનેક કડક નિર્ણય લઈ રહ્યાં છે. આ બધાની વચ્ચે એમ્રિક્રૉન અને સબ વેરિઅન્ટને લઈ અનેક દાવાઓ પણ સામે આવ્યા છે. કેટલાક મીડિયા રિપોર્ટ અનુસાર સબ વેરિઅન્ટ બીએ.5 ને જ ખતરનાક બતાવવામાં આવી રહ્યો છે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે, બીએ.5 લોકોના મગજ માટે ઘાતક સાબિત થઈ શકે છે. જોકે સબ વેરિએન્ટ બીએ.5 મગજ માટે ઘાતક છે તે વાત ખોટી સાબિત થઈ રહી છે.
ઓમિક્રોનના સબ-વેરિયન્ટ બી.એ. 5 માનવ મનને અસર કરે તેવી જાણ કરવામાં આવી નથી
PIB ફેક્ટ ચેકમાં આ બાબત સામે આવી છે કે, સબ વેરિએન્ટ બીએ.5 મગજ માટે ઘાતક છે તે વાત ખોટી છે. PIBFactCheckએ ટ્વિટર પર ટ્વિટ કરી કહ્યું છે કે, આ દાવો સાચો નથી અને લોકોમાં ગેરમાર્ગે દોરે છે. ન્યૂઝ રિપોર્ટ સ્ટડી મારફતે આ વાત સાચી કહેવામાં આવી રહી છે. બીજો બાજુ અભ્યાસમાં ઓમિક્રોનના સબ-વેરિયન્ટ બી.એ. 5 માનવ મનને અસર કરે તેવી જાણ કરવામાં આવી નથી.
BA.5 સંબંધિત દાવાઓ
મીડિયા રિપોર્ટ્સમાં જણાવાયા અનુસાર અભ્યાસ દરમિયાન બી.એ. 5 ના પેટા વેરિયન્ટ માનવ મગજની પેશીઓને વધુ નુકસાન પહોંચાડ્યું છે. જેને લઈને મગજમાં સોજો, વજન ઘટવા અને મૃત્યુનું જોખમ વધ્યા હતા. સંશોધનને ટાંકીને જણાવાયા અનુસાર ઉંદર BA.5 ના મગજના ચેપથી મૃત્યુ પામ્યા હતા. જેથી આ વેરિઅન્ટ અન્ય કરતા અલગ હોવાનું જાણવા મળ્યું હતું. એવું કહેવામાં આવ્યું છે કે BA.5 અન્ય ઓમિક્રોન વેરિયન્ટ કરતાં વધુ ચેપી છે.ભારતમાં છેલ્લા 24 કલાકમાં 173 કેસ સામે આવ્યા છે. આ દરમિયાન 207 લોકોએ કોરોનાને હરાવ્યો છે.