આર્કટિક પર ઝડપથી પીગળતા જતા બરફના કારણે અહીં પરિસ્થિતિ બગડવાનો મોટો ખતરો ઉભો થયો છે. સંશોધકોનું એવું અનુમાન છે કે, ઝડપથી બરફ પીગળવાથી આર્કટિકના ઘણા ક્ષેત્રોના જળવાયુમાં અચાનક પરિવર્તન આવી શકે છે. આ પરિવર્તન પહેલાનાં અનુમાન કરતા ઘણું વધુ અને ખતરનાક હોઇ શકે છે. એક નવા અભ્યાસમાં આ ચોંકાવનારો દાવો કરાયો છે.
બરફ પીગળવાથી આર્કટિકના ઘણા ક્ષેત્રોના જળવાયુમાં અચાનક પરિવર્તન આવી શકે
જો આપણે સમયસર ન જાગ્યા તો ભવિષ્યમાં આપણને વધુ ભયાનક પરિણામો જોવા મળશે
આર્કટિકનું ઇન્ફ્રાસ્ટક્ચર બરફ પીગળવાના કારણે પ્રભાવિત થાય
નેચર ક્લાઇમેટ ચેન્જ જર્નલમાં છપાયેલા અભ્યાસ અનુસાર, યુકોન સહિત કેનેડાના વિવિધ ક્ષેત્રોના જંગલોમાં આગ લાગવાની ઘટનાઓની તીવ્રતા આવનારા સમયમાં બમણી થઇ શકે છે. કેનેડાની મેકગિલ યુનિવર્સિટીનાં સંશોધક લક્ષ્મી સુષ્માએ કહ્યું કે, અમે જળવાયુ પરિવર્તનમાં ક્લાઇમેટ એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પરસ્પર પ્રભાવને લઇને ઊંડો અભ્યાસ કર્યો હતો. અમને જાણવા મળ્યું કે, આર્કટિકનું ઇન્ફ્રાસ્ટક્ચર બરફ પીગળવાના કારણે પ્રભાવિત થાય છે.
હાલનો અભ્યાસ તેનાથી આધુનિક મોડલ પર આધારિત
આ પહેલા પણ આર્કટિક પર બરફના મોટા લેયરને લઇને ઘણા અભ્યાસ કરાયા હતા. તેમાં આર્કટિક પર કેટલાક પ્રભાવ સાથે બરફ ધીમી ગતિથી પીગળતો જોવા મળ્યો હતો. આ અભ્યાસના સહલેખક બર્નાર્ડો ટેફેલે કહ્યું કે, અત્યાર સુધી આર્કટિકના જળવાયુનું હાઇરિઝોલ્યુશન મોડલિંગ કરાયું નથી. જોકે અમારા શરુઆતના પરીક્ષણમાં ઘણી મહત્ત્વની જાણકારીઓ સામે આવી છે. સંશોધકોએ જણાવ્યું કે, પહેલા કરાયેલા અભ્યાસ 20થી 30 વર્ષ જુના મોડલો પર આધારિત હતા, જ્યારે હાલનો અભ્યાસ તેનાથી આધુનિક મોડલ પર આધારિત છે.
...તો સામે આવશે વધુ ગંભીર પરિણામ
ટેફેલે વધુમાં કહ્યું કે, આ અભ્યાસ માટે અમે 1970થી 2020ના જળવાયુ મોડલના ડેટાનો ઉપયોગ કર્યો હતો, જેથી એ સમજી શકાય કે આખરે આર્કટિકના જળવાયુ પરિવર્તનનું સંભવિત કારણ શું છે. તેમણે કહ્યું કે, આ અભ્યાસના પરિણામો ખુબ જ ચિંતાજનક છે. જો આપણે સમયસર ન જાગ્યા તો ભવિષ્યમાં આપણને વધુ ભયાનક પરિણામો જોવા મળશે.
જળવાયુ પરિવર્તનની આડઅસરો હજુ વધુ વધી શકે
ઝડપથી વધી રહ્યુ છે તાપમાન આ પહેલા અન્ય અભ્યાસમાં સંશોધકોએ દાવો કર્યો હતો કે આર્કટિક ક્ષેત્રમાં થઇ ચાલી રહેલી વાતાવરણીય ગતિવિધિઓના કારણે અહીં છોડ ઝડપથી કરમાઈ રહ્યા છે. વૈશ્વિક સરેરાશની તુલનામાં આર્કટિક ક્ષેત્રનું તાપમાન બમણી ઝડપથી વધી રહ્યુ છે. બ્રિટનની યુનિવર્સિટી ઓફ શેફિલ્ડના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, આ પરિવર્તનોના કારણે અનેક છોડ નષ્ટ થયા છે અને આ કારણે અહીં જળવાયુ પરિવર્તનની આડઅસરો હજુ વધુ વધી શકે છે. આમ થવાથી અહીં ઇકોસિસ્ટમ જળવાયુ પરિવર્તન સામ લડવામાં વધુ
અક્ષમ બનશે.