અરવલ્લીના મોડાસાના ખંભીસરમાં દલિત પરિવારના વોરઘોડા મામલે હવે માનવ અધિકાર પંચે ગંભીર નોંધ લીધી છે. માનવ અધિકાર પંચે સંબંધિત અધિકારી પાસે આ સમગ્ર મામલે રિપોર્ટ પણ માગ્યો છે.
આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે જરૂરી પગલા લેવા માટે પણ નિર્દેશ કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, પોલીસે આ સમગ્ર મામલે 300 લોકો વિરૂદ્ધ ફરિયાદ નોંધી છે. સમગ્ર ઘટનામાં પોલીસ જ ફરિયાદી બની છે.
મહત્વનું છે કે દલિત પરિવારમાં યુવકના લગ્ન હતા ત્યારે નીકળેલા વરઘોડાનો અન્ય સમાજના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. વરઘોડોનો રસ્તો રોકવામાં આવ્યો હતો અને બાદમાં આ મામલે ભારે હોબાળો થયા બાદ હેમખેમ લગ્ન પાર પડ્યા હતા.