રાજકોટ AIIMS હોસ્પિટલની મુખ્ય ઈમારતને મળી મંજૂરી, મુખ્ય ઈમારતમાં ભોયરા સાથે કુલ 5 માળનું બાંધકામ કરાશે, હોસ્પિટલના બેઝમેન્ટમાં રેડિયોથેરાપીની સારવાર કરાશે
રાજકોટ AIIMSની મુખ્ય બિલ્ડીંગને મંજૂરી
25 બિલ્ડીંગના આયોજનને મળી મંજૂરી
મુખ્ય બિલ્ડીંગમાં 5 માળનું આયોજન
રાજકોટ AIIMSની મુખ્ય હોસ્પિટલ બિલ્ડિંગ પ્લાનને RUDAએ મંજૂરી આપી છે. પ્રથમ તબક્કામાં કુલ 25 ઈમારતના આયોજનને મંજૂરી મળી છે. અત્યાર સુધી 24 ઈમારતના બાંધકામને મંજૂરી મળી હતી. ત્યારે આજે AIIMS હોસ્પિટલની મુખ્ય ઈમારતને મંજૂરી મળી છે. મુખ્ય ઈમારતમાં ભોયરા સાથે કુલ 5 માળનું બાંધકામ કરાશે. હોસ્પિટલના બેઝમેન્ટમાં રેડિયોથેરાપીની સારવાર કરાશે. ગ્રાઉન્ડ ફ્લોર પર ડોક્ટર્સ રૂમ, લેબોરેટરી, કન્સલ્ટન્ટ રૂમ હશે. પ્રથમ માળે ICU સહિતના વોર્ડ HDU, ઓપરેશન થિયેટર હશે. બીજા માળ પર લેક્ચર રૂમ, વોડ્સ, સ્ટાફ લોન્જ હશે. જ્યારે ત્રીજા, ચોથા અને પાંચમાં માળમાં વિવિધ વોર્ડસ, ડોક્ટર્સ રૂમની સુવિધાઓ હશે.
મહત્વનું છે કે, થોડા દિવસ અગાઉ રાજકોટમાં નિર્માણ પામનારી એમ્સને લઇને સૌથી મોટા સમાચાર આવ્યા હતા. રાજકોટ એઈમ્સન માટે ફોર લેન અને સિક્સ લેન રોડ બનવવામાં આવશે. પરાપીપળીયાથી એઈમ્સ સુધીનો રસ્તો બનાવવામાં આવશે. જેનું નવેમ્બર સુધીમાં કામકાજ પૂર્ણ કરી લેવામાં આવશે. એમ્સ હોસ્પિટલના વિભાગોને લઈ રોડ મેપ પણ તૈયાર કરી લેવામાં આવ્યો છે. તેમજ OPD શરૂ થયા બાદ મેડિસિન, ફાર્મસી વિભાગ પણ શરૂ કરવામાં આવનાર છે. આગામી 2022 પહેલા રાજકોટમાં એમ્સનું લોકાર્પણ કરવાનો દાવો કર્યો છે. એઇમ્સ શરૂ થતા જ ન માત્ર રાજકોટ પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રને ઉચ્ચ કક્ષાની તબીબી સારવાર રાજકોટમાં મળી શકશે. મહત્વનું છે કે શહેરના પરાપીપડીયા અને ખંઢેરી ગામ પાછળ 120 એકર જમીન એમ્સ માટે સરકારે ફાળવી હતી. રાજકોટમાં બારસો કરોડના ખર્ચે આ અત્યાધુનિક હોસ્પિટલ બનશે.
1,200 કરોડના ખર્ચે અત્યાધુનિક એઇમ્સ હોસ્પિટલ બનશે
રાજકોટમાં પરાપીપડીયા તેમજ ખંઢેરી ગામ પાસેની 120 એકર જમીન ઉપર એઇમ્સ હોસ્પિટલ બનનાર એમ્સ હોસ્પિટલમાં તમામ ગંભીર પ્રકારના રોગોમાં પણ દર્દીઓને ગુજરાતમાં આધુનિક સાધનો, લેબોરેટરી, અત્યાધુનિક રિસર્ચ સેન્ટર સહિત તમામ પ્રકારની સવલતોનો લાભ મળતો થશે. એઇમ્સ હોસ્પિટલમાં મેડિકલ કોલેજની સાથે સાથે તબીબી સંશોધનો થશે.
ગુજરાતના વિદ્યાર્થીઓને પણ મોટો લાભ થશે
મહત્વનું છે કે એઇમ્સનું બાંધકામ ચાર વર્ષમાં પૂર્ણ કરી લેવામાં આવશે હોસ્પિટલ સંલગ્ન મેડિકલ કોલેજમાં એમબીબીએસ માટે 100 બેઠકો ફાળવાશે જેથી ગુજરાતના વિદ્યાર્થીઓને પણ મોટો લાભ થશે સૌરાષ્ટ્રના દર્દીઓને આરોગ્યસેવાનો મોટો લાભ મળશે એઇમ્સને કારણે હાર્ટ, કેન્સર, ન્યૂરો સર્જરી જેવી સારવાર રાજકોટમાં ઉપલબ્ધ થશે.
OPD શરૂ થયા બાદ મેડિસિન, ફાર્મસી વિભાગ શરૂ કરવા વિચારણા
એમ્સને કારણે મોટી સંખ્યામાં આરોગ્ય કાર્યકરો અને તબીબો સૌરાષ્ટ્રને મળવા લાગશે નવી મેડિકલ કોલેજને કારણે નવા તબીબોની સંખ્યા વધશે. 20 સુપર સ્પેશિયાલિટી વિભાગો હોવાથી દરેક પ્રકારના દર્દની સારવાર અને ઓપરેશન થઇ શકશે
AIIMSના વિભાગોને લઇ રોડ મેપ તૈયાર કરાયો
ન્યુરોસર્જરી, એન્જિયોપ્લાસ્ટી, હાર્ટ સર્જરી, ની-રિપ્લેસમેન્ટ, પેડિયાટ્રિક સર્જરી, બાયપાસ, ટ્રાન્સપ્લાન્ટ, કેન્સર સર્જરી આ સિવાય અનેક લાભો મળશે. જેમકે, 750 બેડ, દરરોજ 1500 દર્દીઓની ઓપીડી, 100 એમબીબીએસ અને 60 બી.એસ.સી ની સીટ ધરાવતી મેડિકલ કોલેજ પણ મળશે. જેને પગલે સૌરાષ્ટ્રવાસીઓ માટે આ સૌથી મોટી સુવિધા બની જશે.