રાજન શાહીના લોકપ્રિય શો અનુપમામાં કેયરિંગ અને નિર્દોષ નંદિનીના પાત્રને નિભાવનારી અનઘા ભોસલેએ ઓછા સમયમાં લોકોના દિલમાં પોતાનુ સ્થાન બનાવ્યું છે. હાલમાં તેમણે રૂપાલી ગાંગુલી અભિનીત લોકપ્રિય શોને છોડી દીધો છે.
ત્યારબાદ હવે તેમણે ઈન્ડસ્ટ્રી અને કારકિર્દી છોડવાનો નિર્ણય કર્યો છે. અનઘા ભોસલે આધ્યાત્મિક કારણોને લીધે કારકિર્દી છોડી રહી છે. આ જાહેરાત બાદ અનઘા હવે એક તીર્થસ્થાન માટે રવાના થઇ છે. અનુપમામાં નંદની એટલેકે સમરની મંગેતર નંદનીનો પાત્ર નિભાવનારી અનઘાનો આ નિર્ણય ખરેખર હેરાન કરનારો છે. હાલમાં તેના અભિનયથી દર્શકોને મંત્રમુગ્ધ કર્યા બાદ અનઘાએ એક સિક્વન્સ બાદ શો છોડી દીધો. જ્યાં તેમણે સમર શાહની સાથે તેની ઑનસ્ક્રીન લવ લાઈફને ખત્મ કરી દીધી છે અને શોમાંથી બહાર થઇ ગઇ છે. પરંતુ પ્રશંસકોને આશા હતી કે તે ટૂંક સમયમાં એક વખત ફરીથી શોમાં પાછી આવી શકે છે. તો હવે તેની ઈન્ડસ્ટ્રી છોડ્યાની વાતથી લોકો પરેશાન થઇ ગયા છે.
હાલમાં એક ઈન્ટરવ્યુમાં શોમાંથી બહાર થવાના નિર્ણય અંગે અનઘા ભોસલેએ કહ્યું કે ઈન્ડસ્ટ્રીમાં વધારે પ્રેશર અને અનહેલ્ધી સ્પર્ધા અને પોલિટિક્સ છે. અનઘાએ કહ્યું કે સોશિયલ મીડિયામાં જળવાઈ રહેવા માટે, સોશિયલ મીડિયા યુઝર્સને પોસ્ટ કરવા અને અપડેટ કરવાનુ સતત દબાણ તેમને બરોબર લાગતુ નથી. હવે અનઘા ભોસલે ભગવાન કૃષ્ણના મંદિર જગન્નાથ પુરી માટે રવાના થઇ ગઇ છે. હવે આ પ્રવાસની શરૂઆત કરીને તેમણે બેગપેકની સાથે પોતાની તસ્વીરો સોશિયલ મીડિયામાં શેર કરી છે. તેમણે લખ્યું છે, જો તમે જશો નહીં, તો જાણશો નહીં, અમુક પ્રવાસ એકલા કરવા જ સારા લાગે છે.