NIAએ 12 કલાકની પૂછપરછ બાદ શનિવારે મોડીરાતે 11.50 મિનિટે પોલીસ ઓફિસર સચિન વાજેની ધરપકડ કરી છે.
એન્ટિલિયા ધમકી કેસનો મામલો
મહારાષ્ટ્ર પોલીસ ઓફિસર સચીન વાજેની ધરપકડ
NIAએ સચીન વાજેની કરી ધરપકડ
12 કલાકની પૂછપરછ બાદ સચીન વાજેની ધરપકડ
ઉલ્લેખનીય છે કે એન્ટીલિયા કેસમાં મહારાષ્ટ્ર પોલીસના અધિકારી સચીન વાજે સામે NIAએ કેસ દાખલ કર્યો હતો. જેમાં બેદરકારી, અપરાધિક ધમકી આપવાનો કેસ દાખલ કર્યો છે. આ સિવાય ષડયંત્ર રચવું અને ખોટા સિક્કા બનાવવાનો કેસ દાખલ કર્યો હતો અને મોડી રાતે 12 કલાકની પૂછપરછ બાદ 11. 50 મિનિટે તેમની ધરપકડ કરવામાં આવી છે.
Mumbi police officer Sachin Waze* has been arrested under Sections 286, 465, 473, 506(2), 120 B of IPC, and 4(a)(b)(I)Explosive Substances Act 1908 for his role & involvement in placing explosives-laden vehicle near Mukesh Ambani's house in Mumbai on February 25: NIA
NIAની તરફથી મળી રહેલી જાણકારી અનુસાર સચિન વાજેને 12 કલાકની લાંબી પૂછપરછ બાદ ગિરફ્તાર કરાયા છે. NIAની તરફથી વાજેની વિરુદ્ધમાં દગાખોરી, વિસ્ફોટક પદાર્થો સાથે બેદરકારી કરવી અને સાથે નકલી મહોર બનાવવાનો અને અપરાધિક ધમકી આપવાનો કેસ દાખલ કરાયો છે.આજે એટલે કે રવિવારે સચિન વાજેને કોર્ટમાં રજૂ કરી શકાય તેમ છે. NIAએ વાજેની વિરોધમાં કેસ આરસી સંખ્યા 01/2021/NIA/MUM ના આધારે આઈપીસીની કલમ 286, 465, 473, 506(2), 120 B અને Explosive Substances Act 1908 ની કલમ 4(a)(b)(I) ના આધારે ધરપકડ કરી છે.
વાજેએ આગોતરા જામીનીની અરજી કરી
સચિન વાજેએ એન્ટીલાના હાઈ પ્રોફાઈલ મામલામાં ધરપકડના ડરે જિલ્લા સત્ર ન્યાયાલય થાણાના આગોતરા જામીનીની અરજી કરી છે. કોર્ટે આ મામલામાં સુનવણી 19 માર્ચે કરશે. ઉલ્લેખનીય છે કે મુંબઈની ક્રાઈમ બ્રાન્ચના સહાયક પોલીસ નિરીક્ષક સચિન વાજેની ટ્રાન્સફર નાગરિક સુરક્ષા કેન્દ્ર (સીએફસી)માં કરવામાં આવી છે. સીએફસી શહેર પોલીસનો એક એકમ છે. મનસુખ હિરેનના મોતાના મામલામાં વાજેનું નામ સામે આવ્યા બાદ તેની ટ્રાન્સફર કરવામાં આવ્યું છે.
Maharashtra: Mumbai police officer Sachin Vaze transferred from Crime Intelligence Unit (CIU) to Citizen Facilitation Centre at Mumbai Police Headquarters.
25 ફેબ્રુઆરીના રોજ મુકેશ અંબાણીના ઘરની બહાર એસયુવી કાર મળી આવી હતી અને તેમાં નંબર પ્લેટ ખોટી હતી અને તેના ચેસિસ તથા એન્જિન નંબરને પણ ભૂંસી નાંખવામાં આવ્યા હતા. જે બાદ પોલીસે સઘન તપાસ કરીને કારના માલિકને શોધવાનો દાવો કર્યો. શરૂઆતમાં આ કાર મનસુખ હિરેનની છે તેમ દાવો કરવામાં આવ્યો અને હિરેન દ્વારા કહેવામાં આવ્યું હતું કે આ કાર ચોરી થઈ ગઈ હતી. જોકે પોલીસ આ કેસમાં વધુ તપાસ આગળ વધારે તે પહેલા જ મનસુખ હિરેનની મોત થઈ ગઈ. હિરેનની પત્નીએ તેમની હત્યા થવાનો દાવો કર્યો હતો. હિરેનની પત્નીએ કહ્યું કે પતિએ નવેમ્બરમાં વાજેને પોતાની કાર આપી હતી. આ કારને વાજેએ ફેબ્રુઆરીના પહેલા અઠવાડીએ પરત કરી હતી.
વાજેને 2004માં કસ્ટોડિયલ ડેથના મામલામાં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા
મામલાની તપાસ કરી રહેલા મહારાષ્ટ્ર એટીએસે આ અઠવાડિયાની શરુઆતમાં વાજેનું નિવેદન દાખલ કર્યું હતુ, વાજેને 2004માં ખ્વાજા યુનુશની કથિત રીતે કસ્ટોડિયલ ડેથના મામલામાં સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. 2020માં તેમને ફરી ફરજ પર લેવામાં આવ્યા હતા અને તે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના સીઆઈયૂ યુનિટના નેતૃત્વ કરી રહ્યા હતા.
વાજેએ હિરેનની સ્કોર્પિયોનો ઉપયોગ કર્યો હોવાથી ઈન્કાર કરી દીધો
એટીએસે જણાવ્યું કે વાજેએ હિરેનની સ્કોર્પિયોનો ઉપયોગ કર્યો હોવાથી ઈન્કાર કરી દીધો છે. ત્યારે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અનિલ દેશમુખે કહ્યું હતુ કે વાજેને ક્રાઈમ ગુપ્તચર એજન્સીમાંથી ત્યાં સુધી હટાવી દેવામાં આવે જ્યાં સુધી ઓટોમોબાઈલ પાર્ટ્સના વ્યવસાયી મનસુખ હિરેનના મોતની તપાસ પુરી ન થઈ જાય.