કલમ 370ને કારણ ભારતીય સંસદ તરફથી બનાવવામાં આવેલ રક્ષા, વિદેશ અને સંચાર સાથે જોડાયેલ કાયદા જ ઘાટીમાં લાગુ થઇ શકતા હતાં. અન્ય કાયદાઓ માટે જમ્મુ-કાશ્મીર સરકારની સહમિત જરૂરી હતી. એવામાં કેન્દ્ર સરકાર તરફથી પ્રતિબંધ માટે બનાવવામાં આવેલ મોટા કાયદા જમ્મુ-કાશ્મીરમાં લાગુ ન હોતાં.
જમ્મુ-કાશ્મીરમાં કલમ 370 (article 370) ખતમ થયા બાદ હવે ભ્રષ્ટાચાર રોકવાને લઇ 6 મોટા કાયદા લાગુ થઇ શકે છે. અત્યાર સુધી ભ્રષ્ટાચાર (corruption) ની તપાસની રાહમાં વિશેષાધિકાર સ્થાનીય નેતાઓ અને અમલદારશાહીને માટે કવચ તરીકેનું કામ કરે છે. રાજ્યસભામાં સોમવારનાં કલમ 370ની બે જોગવાઇઓને હટાવવાનો સંકલ્પ રજૂ કરતા ગૃહમંત્રી અમિત શાહે પણ કહ્યું હતું કે, ભારત સરકારે હજારો કરોડ રૂપિયા જમ્મુ-કાશ્મીર અને ત્યાંના નાગરિકોના વિકાસ માટે મોકલ્યાં પરંતુ તેઓ ભ્રષ્ટાચારની ભેટે ચઢી ગયા. કલમ 370નો ઉપયોગ કરીને ત્યાં ભ્રષ્ટાચારને કંટ્રોલ કરવાવાળો કાયદો નથી લાગુ થવા દેવામાં આવ્યાં.
આ કાયદાઓ લાગુ થશેઃ
જમ્મુ-કાશ્મીરમાં અત્યાર સુધી ભ્રષ્ટાચાર નિવારણ, અધિનિયમ, બેનામી પ્રોપર્ટી લેણદેણ (નિષેધ) અધિનિયમ, કાળું નાણું (અઘોષિત વિદેશી આવક અને સંપત્તિ) અને કરાધાન અધિનિયમ 2015, મની લોન્ડ્રિંગ એક્ટ, આર્થિક ભગોડા અપરાધ નિયમ, ગૈરકાનૂની રોકધામ અધિનિયમ, વિદેશી યોગદાન વિનિયમન અધિનિયમ (એફસીઆરએ) એક્ટ લાગુ થશે. આ સિવાય હવે ગુનાકીય મામલાઓ માટે ત્યાં ગુનાકીય પ્રક્રિયા સંહિતા (Criminal Procedure Code) લાગુ થશે. અત્યાર સુધી ત્યાં રણબીર દંડ સહિતા લાગુ હતી.
કાયદાની ઉણપથી ઘાટીમાં ભ્રષ્ટાચારઃ
કલમ 370ને કારણ ભારતીય સંસદ તરફથી બનાવવામાં આવેલ રક્ષા, વિદેશ અને સંચાર સાથે જોડાયેલ કાયદા જ ઘાટીમાં લાગુ થઇ શકતા હતાં. અન્ય કાયદાઓ માટે જમ્મુ-કાશ્મીર સરકારની સહમિત જરૂરી હતી. એવામાં કેન્દ્ર સરકાર તરફથી પ્રતિબંધ માટે બનાવવામાં આવેલ મોટા કાયદા જમ્મુ-કાશ્મીરમાં લાગુ ન હોતાં. જેનાંથી સ્થાનીય નેતાઓ અને અમલદારશાહીઓ વિરૂદ્ધ તપાસ અને કાર્યવાહી કરવામાં કેન્દ્રીય એજન્સીઓની સામે મુશ્કેલી ઉભી થતી હતી.
જમ્મુ-કાશ્મીરમાં મહેબુબા મુફ્તીથી લઇને ફારૂખ અબ્દુલ્લા વગેરે વિરૂદ્ધ ભ્રષ્ટાચારની તપાસ ચાલી રહી છે. હવે જમ્મુ-કાશ્મીરને વિશેષાધિકાર પ્રદાન કરવાવાળી બે પ્રમુખ કલમોનાં હટવાથી ત્યાં ભ્રષ્ટાચારને રોકવા મોટા કાયદા લાગુ થઇ શકશે. જેનાથી ઘાટીમાં ભ્રષ્ટાચાર પર મોટા પ્રહાર થઇ શકશે.