અમદાવાદમાં નિત્યાનંદ આશ્રમ કેસના મામલે VTV પર વધુ એક મોટો ખુલાસો સામે આવ્યો છે. આશ્રમને લઇને ચોંકાવનારી વિગતો સામે આવી છે. યોગીની આશ્રમમાં વિધિઓ કરવામાં આવે છે. મોડીરાત્રે અને વહેલી સવારે બાળકો પર વિધિ થાય છે. વિધિના એક્સલુઝિવ ફોટોગ્રાફ્સ VTV પાસે છે. મહત્વના સૂત્રો મૂજબ માહિતી મળી છે. અને તેમાં તેમણે જણાવ્યુ છે કે અહિં કાલ ભૈરવની અને અન્ય વિધિઓ કરવામાં આવે છે.