યુપી સીએમ યોગી આદિત્યનાથે જનસંખ્યા નીતિની જાહેરાત કરી
જનસંખ્યા 2021-2030 બહાર પડાઈ
જેઓ બે બાળકોને નીતિ લાગુ પાડશે તેમને મળશે ઢગલાબંધ લાભો
રાજ્યની જનસંખ્યા નીતિ 2021-2030 નું ઉદ્ધાટન કરતા સીએમ યોગીએ કહ્યું કે જનસંખ્યા નીતિને લાગુ પાડતા મને આનંદ થઈ રીહ્યો છે. વધતી જતી વસતી વિકાસની રાહમાં રોડા બની શકે છે. જનસંખ્યા 2021-2030 માં દરેક સમૂદાયનું ધ્યાન રાખવામાં આવ્યું છે.
જનસંખ્યા નીતિ સાથે જોડાયેલી ખાસ વાતો
- નીતિમાં બે થી વધારે બાળકો હોય તેને સરકારી નોકરી અને યોજનાના લાભોથી વંચિત રહેવું પડશે.
- ટુ ચાઈલ્ડ પોલિસીનું પાલન ન કરનાર લોકોને ભથ્થું પણ નહીં મળે, નીતિમાં જોગવાઈ
- બે બાળકોની નીતિનું ઉલ્લંઘન કરનાર સ્થાનિક ચૂંટણી પણ નહીં લડી શકે
- બે બાળકોથી વધારે હશે તો સરકાર નોકરી માટે અરજી પણ નહીં કરી શકે.
- ચાર લોકોના રેશન કાર્ડ પર એન્ટ્રી સીમિત કરવાની જોગવાઈ
- નીતિમાં સરકારી નોકરોનું પ્રમોશન રોકવાની જોગવાઈ
- સરકારી યોજનાઓ અને ગ્રાન્ટ પણ વંચિત રહેવું પડશે
- જે લોકો બે બાળકોની નીતિ લાગુ પાડશે તેમને ઘણા બધા લાભો આપવાની ભલામણ કરાઈ
- જે સરકારી કર્મચારીઓ બે બાળકોની નીતિ લાગુ પાડશે તેમણે રાષ્ટ્રીય પેન્શન યોજના હેઠળ ત્રણ ટકાનો વધારો આપવાની જોગવાઈ કરાઈ છે.
- પ્લોટ કે જમીનની ખરીદી પર સબસિડી, યુટિલિટી બિલ પર છૂટ, ઈપીએફમાં ત્રણ ટકા વધારાની જોગવાઈ
- સિંગલ ચાઈલ્ડ પોલિસીનું પાલન કરનારને ચાર ટકાનું વધારાનું વેતન, તથા મફત હેલ્થ સુવિધા મળશે
- સિંગર ચાઈલ્ડ પોલિસીનું પાલન કરનાર લોકોને 20 વર્ષની ઉંમર સુધીમાં બાળકોને મફત શિક્ષણ મળશે.
- પ્રાઈવેટ સેક્ટરના જે પણ કર્મચારીઓ બે બાળકોની નીતિનું પાલન કરશે તેમને વીજળી, પાણી બીલ, હોમ લોન અને હાઉસ ટેક્સમાં છૂટ આપવાની પણ જોગવાઈ કરાઈ છે.
2 થી વધું સંતાનમાં સરકારી નોકરી નહી મળે
સમગ્ર મામલે આ બીલમાં એવો પણ ઉલ્લેખ છે કે જે દંપત્તિના બે કરતા વધું સંતાન હશે તે લોકો સરકારી નોકરી માટે પણ અરજી નહી આપી શકે. ઉપરાંત સરકારી નોકરીમાં પણ તેમને પ્રમોશન નહી મળે. સરકાર તરફથી જે રેશનીંગ કાર્ડ આપવામાં આવશે તે પણ ચાર સદસ્યો સુધી સીમીત રહેવાનું છે. તેમા વધારે કોઈ પણ પ્રકારની સબસિડી નહી મળી શકે.
એક વર્ષ બાદ કાયદો લાગૂ થશે
જોકે આ કાયદો હાલ નહી પરંતુ એક વર્ષ બાદ લાગૂ કરવામાં આવી શકે છે. જો કોઈ પણ દંપત્તિ બે બાળકોના આ નીયમને અપનાવશે તો તેમને સસ્તા વ્યાજદરે હોમ લોન અપાવાનો પણ ઉલ્લેખ આ બિલમાં કરવામાં આવ્યો છે. તે સિવાય તમને વિજળીના બીલમાં તેમજ ટેક્સ બીલમાં મોટા પ્રમાણમાં રાહત મળી શકે છે.
IIM જેવી સંસ્થામાં મફત શિક્ષણ
ઉપરાંત જે દંપત્તિ પાસે એકજ બાળક હશે અને તેઓ નસબંધી કરવાશે. તો તેમને સ્વાસ્થ્યને લગતી વીમા પોલીસી જેવા ફાયદાઓ આપવામાં આવશે. બાળકના શિક્ષણને લઈને સરકાર દ્વારા મોટી મદદ કરવામાં આવશે. તેને આઈઆઈએમ તેમજ એઈમ્સ જેવી સંસ્થાઓમાં સરકાર દ્વારા મફત શિક્ષણ આપવાની વાત કરવામાં આવી છે.
સ્વાસ્થ્યનો પૂરો ખર્ચો સરકાર ઉઠાવશે
જે સરકારી કર્મચારીઓ બે બાળકોના માપદંડનું પાલન કરશે તેમને પણ સરકાર દ્વારા વધારે વેતન આપવામાં આવશે. સાથેજ તેમના સ્વાસ્થ્યને લઈને પણ પુરો ખર્ચો સરકાર દ્વારા ઉઠાવામાં આવશે. જે સરકારી કર્મચારીને માત્ર એક બાળક હશે તેને ચાર ગણું ઈન્ક્રીમેન્ટ આપવામાં આવશે.
સરકાર દ્વારા 80 હજારની સહાય
ગરીબી રેખા નીચે જીવતા દંપત્તિ જેમને એક બાળક છે, અને જો તેઓ નસબંધી કરાવે છે. તો તેમને 80 હજાર રૂપિયાની સરકાર દ્વારા સહાય આપવામાં આવશે. બીલ પાસ થયા પછી જે સરકારી કર્મચારીઓને બે કરતા વધારે બાળકો છે. તે લોકોએ ખાસ ધ્યાન રાખવું પડશે કે તેઓ બીલની વિરુદ્ધમાં જઈને કોઈ કાર્ય ન કરે.
નોકરીમાંથી બરખાસ્ત
બીલ પાસ કર્યા પછી જો કોઈ સરકારી કર્મચારી નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેને નોકરી માથી બરખાસ્ત કરવામાં આવશે તેવો બિલમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સાથેજ ભવિષ્યમાં પણ તેઓ કોઈ સરકારી નોકરી માટે અરજી નહી કરી શકે.
ત્રીજા બાળકને દત્તક લઈ શકાશે
જોકે જે દંપત્તિએ બે બાળકો બાદ ત્રીજા બાળકને દત્તક લીધું હશે તેના પર આ કાયદો લાગુ નહી પડે અથવાતો બે બાળકો પૈકી એક બાળક દિવ્યાંગ હોવાને કારણે ત્રીજુ બાળક લાવનારા લોકો માટે પણ આ કાયદો લાગૂ નહી પડે. તે સિવાય પણ જો બે બાળકોના મૃત્યું બાદ ત્રીજુ બાળક જે દંપત્તિ લાવસે તેમના માટે પણ આ કાનૂન લાગૂ નહી પડે.