ગુજરાતમાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે ત્યારે વડોદરાના ગામમાં કડક નિયમ પાલન સાથે કેસને કંટ્રોલ કરવામાં આવ્યા છે.
ગુજરાતના વડોદરાનું ગામ આખા દેશ માટે ઉદાહરણ
પાંચ હજારના ગામમાં પાંચ કોરોના કેસ
ગામમાં કડક નિયમ પાલન, સુવિધા ઊભી કરી દીધી
અંકોડિયા ગામની પહેલ
રાજ્યમાં કોરોનાની મહામારીની વચ્ચે રાજ્ય સરકારે મારું ગામ કોરોનામુક્ત ગામ અભિયાન શરૂ કર્યુ છે ત્યારે વડોદરાનું અંકોડિયા ગામ મારું ગામ કોરોનામુક્ત ગામ અભિયાન તરફ આગળ વધી રહ્યું હોવાનું સામે આવ્યું છે. 5 હજારની વસ્તીના આ ગામમાં માત્ર 5 જ વ્યક્તિઓ કોરોના પોઝિટિવ છે. ગામમાં કોરોનાનું સંક્રમણ રોકવા માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે અને નિયમોનો કડક અમલ થાય તે માટે ગામમાં 28 CCTV કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી છે.
નિયમ તોડ્યો તો થશે દંડ : ગામમાં 28 CCTVથી નજર
માસ્ક વગર ફરનારને 200 રૂપિયાના દંડની જોગવાઈ કરાઈ છે. આ ઉપરાંત ગામમાં 10 બેડનું કોવિડ કેર સેન્ટર શરૂ કરાયું છે જેમાં કોરોના સંક્રમિતોને 2 ટાઈમ ભોજન અને નાસ્તો મળી રહે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. તો ગામના સ્થાનિક ઘનશ્યામભાઈ પટેલ દ્વારા એક એમ્બ્યુલન્સ સેવા માટે દાન કરવામાં આવી છે.
ગામમાં જ ઉભુ કરાયું છે કોવિડ સેન્ટર
પંચાયતથી સરપંચ દિવસ માં 3 સમયે લાઉડસ્પીકરમાં જાહેરાત કરીને કરી લોકો ને કોવિડ નીતિ નિયમ નું પાલન કરવા જણાવવી રહ્યા છે, ગામની શાળા માં કોવિડ કેર સેન્ટર ઉભું કરાયું છે, જ્યાં આઇસોલેસન ના 10 બેડ ઉભા કરાયા છે. 5 મહિલાઓ માટે 5 પુરુષો માટે, જ્યા કોરોના સંક્રમિત 1 વ્યક્તિ ને આઇસોલેસન માટે રખાયો છે, જ્યા નર્સ અને આશા વર્કર તેમને દવાઓ તથા અન્ય વ્યવસ્થાનું ધ્યાન રાખી રહ્યા છે, કોરોના સંક્રમિત વ્યક્તિઓને 2 ટાઈમ નાસ્તોને, 2 ટાઈમ ભોજન આપવામાં આવે છે.
ગામના ઘનશ્યામભાઈ પટેલએ એમ્બ્યુલન્સ દાનમાં આપી છે, ગામ માં ફક્ત 5 લોકો કોરોના પોઝિટિવ છે જેમાં 1 ગામના કોવિડ કેર આઇસોલેસન વોર્ડમાં જ્યારે 4 હોમ આઇસોલેસનમાં છે અને ગામમાં કેસ વધે નહીં એ માટે સરપંચ અને તાલુકા પંચાયતના સભ્ય 24 કલાક ધ્યાન રાખી રહ્યા છે.