હિંદુ પંચાંગ અનુસાર દર મહિને કૃષ્ણ પક્ષમાં આવનારી ચોથને સંકષ્ટ ચતુર્થી કહેવામાં આવે છે. જો ગણેશ ચતુર્થીનું આ વ્રત મંગળવારે આવે છે તો એને અંગારકી ગણેશ ચતુર્થી કહેવામાં આવે છે. માન્યતા છે કે ગણેશ જીને અંગારકની કઠિન તપસ્યાથી ખુશ થઇને એમને વરદાન આપ્યું હતું કે ચતુર્થી તિથિ જો મંગળવારે આવે તો એને અંગારકી ચતુર્થીના નામથી ઓળખવામાં આવે છે. આ એક ખાસ દિવસ પર વ્રત કરવાથી આખું વર્ષ ચતુર્થી વ્રતનું ફળ મળે છે. જાણીએકેવી રીતે અંગારક ચતુર્થીના દિવસે કેવી રીતે કરીએ ભગવાન ગણેશને પ્રસન્ન...
આ દિવસે વ્રતધારી લાલ રંગના કપડાં ધારણ કરો.
પૂજા કરતી વખતે તમારું મોં પૂર્વ અને ઉત્તર દિશાની તરફ રાખો.
પાંચ ધરા ગણેશજીને અર્પિત કરો.
ગણેશ જીને લાલ સિંદુરનું તિલક કરો.
તલથી બનેલી ચીજોથી ગણેશજીને ભોગ ચઢાવો.
ગણેશજીને લાલ વસ્ત્ર ભેટ કરો.
પાંચ બેસનના લાડુનો ભોગ ચઢાવો.
પાન અને સોપારી પણ ગણેશજીને અર્પિત કરો.
વ્રત રાખનાર લોકો સાંજના સમયે સંકષ્ટી ગણેશ ચતુર્થીની કથા વાંચોઅથાવ સાંભળો અને બીજાને પણ સંભળાવો.