આંધ્રપ્રદેશના સીએમએ સુપ્રીમ કોર્ટના જજ પર સરકાર પાડવાના પ્રયાસનો આરોપ લગાવ્યો છે. SCના જસ્ટિસ રમન્ના પર ગંભીર આરોપ લગાવ્યા બાદ CM જગનમોહન રેડ્ડીએ CJI બોબડેને પત્ર પણ લખ્યો છે. જેમાં CM જગનમોહન રેડ્ડીએ લખ્યું છે કે ચંદ્રબાબૂ સાથે મળી સુપ્રીમ કોર્ટના જજ સરકાર પાડવામાં લાગ્યા છે. જસ્ટિસ રમન્નાની દીકરીઓ જમીનની લે-વેચમાં સામેલ હોવાનો આક્ષેપ પણ કર્યો છે. આ સાથે ચંદ્રબાબુ સાથે સંકળાયેલા કેસમાં મદદ કરવાનો આરોપ મૂક્યો છે.
આંધ્રપ્રદેશથી સૌથી મોટા સમાચાર
સુપ્રીમ કોર્ટના જજ પર ગંભીર આરોપ
જસ્ટિસ રમન્ના પર સરકાર પાડવાની કોશિશનો આરોપ
આંધ્રપ્રદેશના સીએમએ CJIને લખ્યો પત્ર
જગને લગાવ્યો આરોપ
આંધ્રપ્રદેશના સીએમ જગનમોહન રેડ્ડીએ સુપ્રીમ કોર્ટના જસ્ટીસ એનવી રમન્ના પર ગંભીર આરોપ લગાવતાં CJI જસ્ટિસ બોર્ડને 6 ઓક્ટોબરે પત્ર લખ્યો છે. જેમાં તેઓએ આરોપ લગાવ્યો છે કે જસ્ટિસ રમન્નાની દીકરીઓ જમીનની લે-વેચમાં સામેલ રહી અને તેઓએ પૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડુની સાથે મળીને સરકાર પાડવાનો પ્રયાસ કર્યો છે.
6 ઓક્ટોબર લખાયો હતો પત્ર
CJI ને આ પત્ર 6 તારીખે લખાયો હતો. તેને હૈદરાબાદમાં મીડિયાની સામે શનિવારે જગનમોહનના પ્રમુખ સલાહકાર અજેય કલ્લમની તરફથી જાહેર કરાયો હતો. પત્રમાં તે પ્રસંગોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જ્યારે તેલુગુદેશમ પાર્ટીની સાથે જોડાયેલા કેટલાક કેસ સન્માનીય ન્યાયાધીશોને સોંપવામાં આવ્યા હતા. આ સિવાય એમ પણ કહેવામાં આવ્યું છે કે 'વાયએસઆર કોંગ્રેસ પાર્ટીએ મે 2019માં સત્તા સંભાળી ત્યારથી ચંદ્રબાબુ નાયડુની સરકારના જૂન 2014 થી મે 2019 દરમિયાન થયેલા તમામ સોદાઓની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારથી જસ્ટિસ એન.વી. રમન્ના રાજ્યમાં ન્યાયના વહીવટને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
તપાસને કરવામાં આવી રહી છે પ્રભાવિત
મુખ્યમંત્રીએ આરોપ લગાવ્યો છે કે હાઈકોર્ટે ભૂતપૂર્વ રાજ્યના એડવોકેટ જનરલ દમ્મલપતિ શ્રીનિવાસને જમીન વ્યવહાર અંગેની તપાસ પર સ્ટે આપ્યો હતો, જ્યારે એન્ટી કરપ્શન બ્યુરોએ તેમની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી હતી. 15 સપ્ટેમ્બરના રોજ હાઈકોર્ટે મીડિયાને એસીબી દ્વારા ભૂતપૂર્વ એડવોકેટ જનરલ પર નોંધાવેલ એફઆઈઆરની વિગતો જણાવતા અટકાવ્યો હતો. આ એફઆઇઆર શ્રીનિવાસ સામે અમરાવતીમાં જમીન ખરીદવા બદલ દાખલ કરવામાં આવી હતી.
ચંદ્રબાબુ નાયડુની સાથે મળીને પાડી રહ્યા છે સરકાર
પોતાની ફરિયાદમાં મુખ્યમંત્રીએ કહ્યું કે જસ્ટિસ રમન્ના સરકારને અસ્થિર કરવામાં નાયડુનો સાથ આપી રહ્યા છે. તે હાઈકોર્ટમાં કામમાં દખલઅંદાજી કરકી રહ્યા છે અને જજને પ્રભાવિત કરી રહ્યા છે. રેડ્ડીના અનુસાર રમન્ના એવું ટીડીપી પ્રમુખ ચંદ્રબાબુ નાયડુના હિતના સંરક્ષણને માટે કરી રહ્યા છે અને વર્તમાન સરકારને પાડવાની કોશિશ કરી રહ્યા છે.
CJIને કરી અપીલ
દેશમાં એેવું પહેલીવાર બન્યું છે કે કોઈ મુખ્યમંત્રીએ જજની વિરુદ્ધમાં ચીફ જસ્ટિસને ફરિયાદ કરી હોય. તેમાં ન્યાય સિસ્ટમને પ્રભાવિત કરવાની વાત કરાઈ છે.જગને CJIને આંધ્રપ્રદેશમાં ન્યાયની તટસ્થતાને જાળવી રાખવાનો અનુરોધ કર્યો છે.