ICC વર્લ્ડ કપ 2019ની એક મેચમાં ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશને 28 હરાવીને સેમિફાઇનલમાં જગ્યા બનાવી દીધી છે. આ મેચ પછી બાંગ્લાદેશ સેમિફાઇનલની રેસમાંથી બહાર થઇ ગયુ છે.
મેચમાં જ્યાં રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ અને હાર્દિક પંડ્યા છવાયેલા રહ્યા તો ઓડિયન્સમાં એક વુદ્ઘિ ક્રિકેટ ફેને તમામનું દિલ જીતી લીધુ. મેચ દરમિયાન સ્ટેડિયમમાં રહેલા 87 વર્ષના ક્રિકેટ ફેન ચારુલતા પટેલની ચર્ચા સોશ્યલ મીડિયા પર ખૂબ જ થઇ રહી છે. ટીમ ઇન્ડિયા માટેની તેમની દિવાનગીના સૌ કોઇ વખાણ કરી રહ્યા છે. એટલુ જ નહી આનંદ મહિન્દ્રાએ પણ ચારુલતા પટેલને માટે એક મોટી જાહેરાત કરી દીધી છે.
મેચ દરમિયાન જે રીતે આ વુદ્ઘ મહિલાની સોશ્યલ મીડિયા પર ચર્ચા શરૂ થઇ, મહેન્દ્રા અને મહેન્દ્રા ચેરમેને ટ્વિટર પર લખ્યુ કે, ''મને આદત નથી ક્રિકેટ જોવાનું પરંતુ આ મહિલા માટે મેં ટીવી ચાલુ કર્યુ. તે એક મેચ વિનર જેવા લાગે છે.'' જે પછી તેમને ટ્વિટર પર યૂઝરની કમેન્ટનો જવાબ આપતા આનંદ મહિન્દ્રાએ કહ્યુ કે, ''શોધી કાઢો કે આ મહિલા કોણ છે? હુ વચન આપુ છે કે ભારતની આગામી જેટલી પણ મેચ હશે તેના માટે મહિલાની ટિકિટના રૂપિયા હુ આપીશ.''
Ok, watched the last over & it had all the drama I needed. The best victories are those that make you bite your nails at 1st & then make it look easy in the end. Shabash, India & make sure this match-winning lady is present at the semifinals & finals...give her a free ticket! https://t.co/Smp0MrqCIA
આનંદ મહિન્દ્રાનો આ જવાબનો તેમના જ એક ટ્વિટના આધારે આવ્યો. જેમાં તેમણે લખ્યુ કે, ''ઓકે મેચની છેલ્લી ઑવર જોઇ. જેમાં ભરપૂર ડ્રામાની જરૂર હતી. સૌથી શ્રેષ્ઠ જીત એ હોય છે જે શરૂઆતમાં તમને નખ ચાવવા પર મજબૂર કરી દે અને અંતે એવું લાગે કે આ તો સરળ હતુ. શાબાશ, ઈન્ડિયા અને સુનિશ્ચિત કરો કે મેચ જીતનારી તે મહિલા સેમિફાઇનલ્સ અને ફાઇનલમાં હાજર રહે. તેમને મફતમાં ટિકિટ આપો.''
Find out who she is & I promise I will reimburse her ticket costs for the rest of the India matches!😊 https://t.co/dvRHLwtX2b
આ સાથે જ યૂઝરે કહ્યુ કે, તમે ટિકિટની ઑફર કેમ નથી કરતા, તે પછી શું આનંદ મહિન્દ્રાએ ટ્વિટ કરીને ફ્રી ટિકિટની જાહેરાત કરી દીધી. ટ્વિટર પર ચારુલતા પટેલ એટલી હદ સુધી ટ્રેન્ડિંગમાં છે કે તેમને આયરન લેડી કહેવામાં આવી રહ્યા છે.
— Cricket World Cup (@cricketworldcup) July 2, 2019
#WATCH 87 year old Charulata Patel who was seen cheering for India in the stands during #BANvIND match: India will win the world cup. I pray to Lord Ganesha that India wins. I bless the team always. #CWC19pic.twitter.com/lo3BtN7NtD
મેચ પછી વિરાટ કોહલીએ ચારુલતાબેનની મુલાકાત કરી અને તેમના આશીર્વાદ લીધા. વિરાટની સાથે ટીમના વાઇસ કેપ્ટન રોહિત શર્માએ પણ ચારુલતાબેનના આશીર્વાદ લીધા. આ પછી જ્યારે તેમણે પૂછવામાં આવ્યુ ત્યારે કહ્યુ કે, ''હું કામ કરતી હતી ત્યાટે ટીવી પર જોતી હતી અને હવે નિવૃત થઇ છું ત્યારે લાઇવ મેચ જોવા આવું છું.''