બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

logo

AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં

logo

BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત

logo

સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી

VTV / ગુજરાત / અમદાવાદ / An important decision by the people of Ambali Pol to save the endangered Pol culture

નિર્ણય / અમદાવાદની લુપ્ત થતી પોળ બચાવવા હવે પ્રજા પોતે મેદાને પડી, કોમર્શિયલ એક્ટિવિટી બંધ; જાણ વગર નહીં થાય ઘરવેચાણ

Malay

Last Updated: 12:13 PM, 5 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લુપ્ત થતી પોળની સંસ્કૃતિ બચાવવા આંબલીની પોળના લોકોએ બીડુ ઉપાડ્યું છે. જે મુજબ રહેણાંક માટે લીધેલ મકાનમાં કોમર્શિયલ એક્ટિવિટી કરવા દેવામાં આવશે નહીં.

  • પોળની સંસ્કૃતિને બચાવવા આંબલીની પોળનો નિર્ણય
  • કોઈ પણ વ્યક્તિ જાણ વિના પોળના ઘરનું વેચાણ કરી શકશે નહીં
  • પોળના મુખ્ય પ્રવેશ દ્વાર પર લગાવ્યું નોટિસ બોર્ડ

અમદાવાદ શહેરમાં એક સમયે પોળ એ શહેરની ઓળખ હતી. પરંતુ શહેરમાં વિકાસ સાથે અમદાવાદની પોળની સંસ્કૃતિ લુપ્ત થઈ રહી છે.  લુપ્ત થતી સંસ્કૃતિને અટકાવવા આંબલીની પોળ દ્વારા પ્લાન તૈયાર કરાયો છે.  પોળના રહીશોએ પોતાની પોળ અને અન્ય પોળને બચાવવા માટે બીડુ ઉપાડ્યું છે. જે મુજબ હવે કોઈ પણ વ્યક્તિ પોળમાં પોતાનું ઘર જાણ પોળના સભ્યોને જાણ કર્યા વગર અન્યને વેચી શકશે નહીં. ખાડિયા વિસ્તારની આંબલીની પોળના રહીશો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદની પોળની સંસ્કૃતિ થઈ રહી છે લુપ્ત 
આંબલીની પોળના રહીશોએ લુપ્ત થતી પોળ સંસ્કૃતિને બચાવવા માટે આ નિર્ણય લીધો છે. પોળના મુખ્ય પ્રવેશ દ્વાર પર એક નોટિસ બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યું છે. આંબલીની પોળના 40 ઘરોએ મળી પ્રવેશ દ્વાર પર 7 સૂચનો લખ્યા છે. 

આંબલીની પોળના પ્રવેશ દ્વાર પર લગાવાયું નોટિસ બોર્ડ
નોટિસ બોર્ડમાં લખવામાં આવેલું છે કે, પાળમાં મકાન પરપ્રાંતિઓને વેચાણ કે ભાડે આપવું નહીં. પોળમાં મકાન રહેણાંક સિવાય કોઈપણ ધંધાકીય (કોમર્શિયલ) પ્રવૃતિ માટે વેચાણ કે ભાડે આપવું નહીં. રહેણાંક મકાન માટે લીધેલ મકાનમાં ધંધાકીય (કોમર્શિયલ) પ્રવૃતિ કરવા દેવામાં આવશે નહીં, જે બાબતે પોળમાં રહેતા સર્વે રહીશોની સહસંમતિ છે. 

પોળમાં કોઈપણ કોમર્શિયલ એક્ટિવિટી ન કરવા માટે પણ આદેશ
બોર્ડમાં વધુમાં લખવામાં આવ્યું છે કે, ધંધાકિય પ્રવૃતિ સામે પોળના રહીશોને સખત વિરોધ છે અને રહેશે. પોળમાં મકાન ખરીદ/વેચાણ કરતા પહેલા પોળના રહીશો અને સભ્યોને જણાવવું જરૂરી છે. પોળમાં મકાન લેતા પહેલા કયા હેતુથી મકાન લે છે, તેની લેખિતમાં પોળના સભ્યોને જાણ કરવાની રહેશે. સાથએ જ કોઈપણ જાણકારી માટે પોળના સભ્યોનો સંપર્ક કરવો. 

સર્વે રહીશોની સંમતિથી લેવાયો નિર્ણય 
આ મામલે દેવેન્દ્ર પટેલના નામના સ્થાનિકે જણાવ્યું કે, પહેલા પોળની જેવી ઓળખ હતી એવી ફરી થઈ શકે તે માટે અમે પ્રવેશ દ્વાર પર આ બોર્ડ લગાવ્યું છે. સર્વે રહીશોની સંમતિથી આ લખાણ કરવામાં આવ્યું છે. કોમર્શિયલ થવાથી લોકોની અવરજવર વધી જાય છે, કેવા માણસો એની કોઈને ખબર નથી હોતી. 

પોળના લોકો પોતાની પોળને બચાવવા માંગે છે: સ્થાનિક 
તેમણે જણાવ્યું કે, 'અમારી પોળમાં દ    રેક તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવે છે. ધારો કે પોળના કોઈ મકાનમાં ગોડાઉન બને તો તે મકાનમાં રહેતા વ્યક્તિ પોળમાંથી બહાર રહેવા જતા રહે, તેથી પોળની વસ્તી ઓછી થતી જાય છે. પોળના લોકો પોતાની પોળને બચાવવા માંગે છે. જેથી આ નિર્ણય લેવાયો છે'


 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ