બ્રેકિંગ ન્યુઝ
22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ
અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
VTV / amritpal singh declared fugitive, police team are on manhunt, 78 people arrested
Vaidehi
Last Updated: 08:49 AM, 19 March 2023
પંજાબ પોલીસનાં પ્રવક્તાએ જણાવ્યું કે શનિવારે બપોરે જાલંધર જિલ્લાનાં શાહકોટ-મલસિયા રોડ પર પોલીસની તરફથી 'વારિસ પંજાબ દે'નાં કાર્યકર્તાઓની અનેક ગતિવિધિયોને ઈન્ટરસેપ્ટ કર્યું અને ઘટનાસ્થળ પરથી 78 લોકોની ધરપકડ કરી. તેમણે જણાવ્યું કે અમૃતપાલ સહિત કેટલાક અન્ય પણ ફરાર થયાં છે જેમને પકડવા માટે મોટાપાયે રેડ પાડવામાં આવી રહી છે. રાજ્યમાં એક વ્યાપાક રાજ્ય-સ્તરીય કોર્ડન અને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
કલમ 144 લાગૂ
રાજ્યમાં આ ઘટનાને ધ્યાનમાં લઈને ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. એટલું જ નહીં રાજ્યનાં મુક્સર સાહિબ અને ફાજિલ્કા જિલ્લાઓમાં કલમ 144 લાગૂ પાડવામાં આવી છે. આદેશ જાહેર થયો તે અનુસાર હાલની સ્થિતિને ધ્યાનમાં લેતા કલમ 144 લાગૂ પાડવામાં આવી છે અને પોલીસબળ તૈનાત કરવામાં આવ્યું છે. સૂચના અનુસાર 31 માર્ચ સુધી આ કલમ લાગૂ રહેશે.
#WATCH | Amritsar: We don't have correct info about him (Amritpal Singh). Police conducted searches for 3-4 hours at our house. They didn't find anything illegal...Police should have arrested him when he left from the house...: Tarsem Singh, Father of Amritpal Singh to ANI pic.twitter.com/QACVqh1FkX
— ANI (@ANI) March 18, 2023
ભાગેડુ અમૃતપાલસિંહ ફરાર
જલંધર પોલીસ કમિશ્નરે કહ્યું કે વારિસ પંજાબ દે નો ચીફ અમૃતપાલ ભાગેડુ જાહેર થયો છે. તેની 2 ગાડીઓ સીઝ થઈ છે અને તેના બંદૂકધારીઓને પણ પકડી પાડવામાં આવ્યાં છે.તેની સામે કેસ નોંધાઈ ચૂક્યો છે.અમૃતપાલસિંહનાં પિતા તરસેમ સિંહએ કહ્યું કે અમને તેના વિશે કોઈ સાચી માહિતી નથી. પોલીસ 3-4 કલાકથી અમારા ઘરે તપાસ કરી રહી છે. તેમને કંઈ જ ગેરકાયદાકીય મળી આવ્યું નથી. પોલીસે તે ઘરથી નિકળ્યો ત્યારે જ તેને પકડી લેવો હતો.
Punjab | ‘Waris Punjab De’ chief Amritpal Singh declared a fugitive. His two cars seized & gunmen nabbed, legality of their weapons being checked. Case registered. Punjab police personnel on the job to arrest Amritpal Singh soon. 78 people arrested so far, checking going on.… https://t.co/nctwycyzqJ pic.twitter.com/WlTOvIosus
— ANI (@ANI) March 18, 2023
9 હથિયારો મળી આવ્યાં
આ રાજ્ય સ્તરીય કાર્યવાહી દરમિયાન અત્યાર સુધી 9 હથિયારો મળી આવ્યાં છે. જેમાં એક 315 બોરની રાઈફલ, 12 બોરની સાત રાઈફલ, 1 રિવોલ્વર અને અલગ-અલગ કેલીબરનાં 373 જીવંત કારતૂસ શામેલ છે.
કોણ છે અમૃતપાલસિંહ?
અમૃતપાલસિંહને શોધવામાં હાલમાં સમગ્ર પંજાબ પોલીસ લાગી ગઈ છે ત્યારે કથિત ધોરણે તેણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ધમકી આપ્યા હોવાનો આરોપ છે. એટલું જ નહીં વારિસ પંજાબ દે સંગઠનનાં પ્રમુખ અમૃતપાલસિંહનાં સમર્થકોએ 23 ફેબ્રુઆરીનાં રોજ અજનાલા પોલીસ સ્ટેશન પર પણ હુમલો કર્યો હતો. અમૃતપાલ સિંહ ખાલિસ્તાની સમર્થક દીપ સિધ્ધૂનું સંઠગન 'વારિસ પંજાબ દે'નો વડો છે. વિકિપીડિયા અનુસાર શીખ ધર્મના પ્રસાર માટે અમૃત અભિયાન ચાલે છે. તેણે પોતાનો પ્રથમ અમૃત પ્રચાર અભિયાન રાજસ્થાનનાં શ્રીગંગાનગરમાં આયોજિત કર્યો હતો જેમાં આશરે 647 લોકોએ અમૃતગ્રહણ કર્યું હતું. રિપોર્ટ અનુસાર અમૃતપાલે તો સરકારને પડકારતાં કહ્યું હતું કે' હું સરકારને કહેવા ઈચ્છું છું કે જો તે મને પકડવા ઈચ્છે છે તો મને જગ્યા કહો. એક તરફ સરકાર કહે છે કે તે મને શોધી રહી છે અને બીજી તરફ તે જાણે છે કે હું ક્યાં હતો. પછી તે ખોટું શા માટે બોલી રહી છે કે તેમણે રેડ પાડી?'તેણે હાલમાં ગૃહમંત્રી અમિત શાહને ધમકી આપતાં કહ્યું કે 'અમિતશાહે કહ્યું હતું કે ખાલિસ્તાન આંદોલનને વધવા નહીં દઈએ. મેં કહ્યું હતું કે ઈન્દિરા ગાંધીએ પણ આવું જ કહ્યું હતું. જો તમે પણ આવું કરો છો તો તમને પણ પરિણામ ભોગવવું પડશે. '
WPDનાં કાર્યકર્તાઓ પર આરોપ
પ્રવક્તાએ જણાવ્યું કે WPUનાં કાર્યકર્તા ચાર ગુનાહિત પ્રવૃતિમાં સંકળાયેલા છે જેમાં સમાજમાં અસ્થિરતા ફેલાવવું, પૂર્વયોજિત હત્યા, પોલીસ ઓફિસરો પર હુમલો કરવો અને સરકારી કર્મચારીઓની ડ્યૂટીઓને કાયદાકીય ધોરણે નિભાવવામાં વિઘ્ન ઊભો કરવો જેવી બાબતો છે. તેમણે આગળ જણાવ્યું કે અજનાલા પોલીસ સ્ટેશન પર હુમલા માટે WPDનાં કાર્યકર્તાઓ સામે કેસ નંબર 39, તારીખ 24-02-2023 નોંધાયેલ છે.
તેમણે કાયદાની શરણે થવું જોઈએ- પોલીસ
તેમણે જણાવ્યું કે ગુનાહિત પ્રવૃતિઓનાં મામલામાં તમામ વ્યક્તિઓની સાથે કાયદાકીયરીતે કાર્યવાહી કરવામાં આવશે અને જે વ્યક્તિઓની પોલીસ શોધ કરી રહી છે તેમને પોતે જ કાયદાની શરણે આવવું જોઈએ. તેમણે કહ્યું કે કાયદાકીય બચાવ સંબંધીત તેમના બંધારણિય અધિકારોની રક્ષા કરવામાં આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news
ગાંધીનગર / હીટવેવને લઇ ગુજરાતનું આરોગ્ય તંત્ર એલર્ટ, વહીવટી તંત્રને આપ્યો તમામ સુવિધાઓ પૂરી પાડવાનો આદેશ
Heat due System alert