અમરાઈવાડી પેટા ચૂંટણીમાં ભાજપ કોંગ્રેસની નહી પરંતુ પાટીદારો વચ્ચેની જંગ બની રહેશે એમાંય કોંગ્રેસ અને ભાજપ બંનેના ઉમેદાવારો આનંદીબહેનના જૂના સાથીદારો છે વલી કોંગ્રેસને SPG નો ટેકો છે જેને કારમે ભાજપે ડેમેજ કંટ્રોલ માટે ડેપ્યુટી સીએમ નીતિન પટેલને મેદાનમાં ઉતાર્યા છે.
અમરાઈવાડીમાં વિધાનસભાની પેટાચૂંટણીના આટાપાટા શરૂ થઈ ચૂક્યા છે ત્યારે આ જંગ ભાજપ-કોંગ્રેસને બદલે પાટીદારો વચ્ચેનો બની ગયો છે. અમરાઇવાડી બેઠક પર 2 પાટીદાર ઉમેદવારો વચ્ચે જંગ જામ્યો છે. ભાજપ-કોંગ્રેસે બંનેએ પાટીદાર ઉમેદવારોને ટિકિટ આપી છે. અને વળી બંને ઉમેદવારો આનંદીબેન પટેલના જૂના સાથીદાર છે.
ભાજપ બેડામાં ડેમેજ કંટ્રોલની તૈયારીઓ
ભાજપે જગદીશ પટેલને ટિકિટ આપી છે. જગદીશ પટેલ ઝાલાવાડી પાટીદારોનું પ્રતિનિધિત્વ કરે છે. તેમને ઝાલાવાડી પાટીદરોનું સમર્થન છે. પાટીદાર ઉમેદવારને નાતે આ બેઠક ઉપર ભાજપ જંગ જીતશે એવું લાગે છે પણ SPG એ કોંગ્રેસને સમર્થ આપતા ભાજપ બેડામાં ડેમેજ કંટ્રોલની તૈયારીઓ થઈ રહી છે.
કોંગ્રેસ ઉત્તર ગુજરાતના તમામ પાટીદારોનું સમર્થન
કોંગ્રેસ ધર્મેન્દ્ર પટેલને અમરાઇવાડી બેઠકમાં પાટીદાર મતદારો નિર્ણાયક ભાગ ભજવે છે. ધર્મેન્દ્ર પટેલને ઉત્તર ગુજરાત કડવા પાટીદારોનું પ્રતિનિધિત્વ કરે છે જેથી તેને ઉત્તર ગુજરાતના તમામ પાટીદારોનું સમર્થન છે. ધર્મેન્દ્ર પટેલને SPGસમર્થન મળ્યું હોવાની ચર્ચા
DyCM નીતિને પટેલને સોંપાઇ વિશેષ જવાબદારી
SPGથી થતા ડેમેજ કંટ્રોલ માટે નીતિન પટેલને આગોતરી જવાબદારી સોંપાઇ છે. SGPના પ્રમુખ લાલજી દેસાઇ અને નીતિન પટેલ વચ્ચે સારા સંબંધ હોવાને કારણે રાજનૈતિક તાણાવાણા ગુંથાઈ રહ્યા છે. ભાજપના જગદીશ પટેલને કોંગ્રી ઉમેદવાર ધર્મેન્દ્ર પટેલથી હારી જવાનો ડર છે.