ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સોમવારે શિવસેના પ્રમુખ ઉધ્ધવ ઠાકરે સાથે મુલાકાત કરશે. અમિત શાહ આજે મુંબઇની મુલાકાતે પહોંચશે. મુંબઇમાં અમિત શાહ અને ઉધ્ધવ ઠાકરે વચ્ચે આગામી લોકસભાની ચૂંટણીને લઇને બેઠકોની સમુજતિ પર ચર્ચા થાય તેવી શક્યતા છે.
ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેનાના ગઠબંધનની સરકાર છે. જ્યારે કેન્દ્રમાં શિવસેના એનડીએમાં ગઠબંધનમાં સામેલ છે. જો કે વારંવાર શિવસેના દ્વારા કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવે છે. શિવસેનાના સામનામાં કેન્દ્ર સરકાર વિરુધ્ધ પ્રહાર કરવામાં આવે છે.
જો કે આજની આ બંને દિગ્ગજ નેતાઓની મુલાકાતમાં લોકસભા ચૂંટણી સાથે લડવાની જાહેરાત કરવામાં આવશે. આમ આગામી લોકસભાની ચૂંટણી વચ્ચે અમિત શાહ અને ઉધ્ધવ ઠાકરેની આ મુલાકાતને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
શિવસેનાના મુખપત્ર સામનાના લેખો દ્વારા અથવા રાજકીય નિવેદન ગત કેટલાક મહિનાથી શિવસેના કેન્દ્રની ભાજપા સરકાર પર કેટલાક મુદ્દાઓ પર આક્રમક જોવા મળી છે. તેમ છતાં બંને વચ્ચે આગામી લોકસભાની ચૂંટણી સંયુક્ત લડવા અંગે સમજૂતિ છે.
મહારાષ્ટ્રમાં લોકસભાની કુલ 48 બેઠક છે. 2014માં લોકસભાની ચૂંટણીમાં ભાજપે 26 બેઠક પર ચૂંટણી લડી હતી જેમાં 23 બેઠક પર જીત મળી હતી જ્યારે શિવસેનાએ 22 બેઠક પર ચૂંટણી લડી હતી અને 18 બેઠકો પર જીત મેળવીહતી.