મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયગાળાથી ચાલી રહેલા રાજકીય ઘમાસાણ મામલે દેશના ગૃહમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મૌન તોડ્યું હતું. એક ખાનગી ચેનલમાં યોજાયેલ ચર્ચા સમયે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી પદની લાલચ આપીને સમર્થન લેવું શું હોર્સટ્રેડિંગ નથી ?
આ સાથે જ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, હું શરદજી અને સોનિયાજીને કહું છું કે, એકવાર બોલીને બતાવો કે મુખ્યમંત્રી તેમનો હશે અને ત્યારબાદ શિવસેનાનું સમર્થન મેળવો. આશરે 100 બેઠક ધરાવતું ગઠબંધન 56 સીટ ધરાવતી પાર્ટીને મુખ્યમંત્રીપદ આપે તો તે શું હોર્સ ટ્રેડિંગ નથી.
અમિત શાહે કર્યા પ્રહાર
मुख्यमंत्री पद का लालच देकर समर्थन लेना खरीद फ़रोख़्त नहीं है क्या?
मैं शरद जी और सोनिया जी को कहता हूँ कि एक बार बोलकर देखे की मुख्यमंत्री उनका होगा और फिर शिवसेना का समर्थन लें।
लगभग 100 सीटों वाला गठबंधन 56 सीट वाली पार्टी को मुख्यमंत्री पद दे रहा है ये खरीद फ़रोख़्त ही है। pic.twitter.com/v2guJEy8ZH
નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં 80 કલાકના ઓછા સમયગાળામાં દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવારની સરકાર પડી હતી અને મોડી સાંજે શિવસેના-કોંગ્રેસ અને NCP એ સરકાર રચવાનો દાવો રાજ્યપાલ સમક્ષ કર્યો હતો. ત્યારે ભાજપના દિગ્ગજ નેતા અમિત શાહે મહારાષ્ટ્રના મહાસંગઠન પર આકરા પ્રહાર કર્યા હતા.
અમિત શાહે વધુમાં જણાવ્યું કે, શિવસેનાના તમામ ધારાસભ્યો અમારી સાથે લડીને ચૂંટણી જીત્યા હતા. એક પણ ધારાસભ્ય એવો નથી કે જેમણે મોદીજીનું પોસ્ટર લગાવ્યું ન હોય. તેમની વિધાનસભાઓમાં પણ મોટા કટઆઉટ્સ મોદીજીના લગાવવામાં આવ્યા હતા. શું આ બાબત દેશ અને મહારાષ્ટ્રની જનતાને ખબર નથી ?
શિવસેના પર કર્યા પ્રહાર
महाराष्ट्र के जनादेश का अपमान करने का काम शिवसेना ने किया है भाजपा ने नहीं।
विधायकों के कैम्प लगाने वालों, चुनाव से पहले का गठबंधन तोड़ने वालों को दोष ना देकर आज भाजपा का दोष बताया जा रहा है।
अपनी विचारधारा छोड़कर, सभी मूल्यों को त्यागकर ये 3 पार्टियां सरकार बनाने जा रही हैं। pic.twitter.com/plE4evH0Me
મહારાષ્ટ્રના જનાદેશનું અપમાન ભાજપે નહીં પરંતુ શિવસેનાએ કર્યું છે. ધારાસભ્યોના કેમ્પ લગાવનારા લોકો, ચૂંટણી પહેલાનું ગઠબંધન તોડનારને દોષ ન આપીને ભાજપને દોષ આપી રહી છે. પોતાની વિચારધારા છોડીને, તમામ મૂલ્યો ત્યાગીને આ 3 પાર્ટીઓ સરકાર બનાવી રહી છે.