કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સોમવારે પોતાના મંત્રાલયના ઉચ્ચ અધિકારીઓ સાથે એક બેઠક કરી. આ બેઠકમાં ગૃહ મંત્રીએ ઘણા મહત્વપૂર્ણ અને પ્રમુખ મુદ્દાઓ પર તેમની સાથે ચર્ચા કરી. અમિત શાહ સારવાર બાદ એમ્સમાંથી રજા આપ્યા પછી પહેલી વાર કોઇ બેઠકની અધ્યક્ષતા માટે પોતાના નોર્થ બ્લોક સ્થિત પોતાની ઓફીસે આવ્યાં હતા. આ બેઠકમાં ગૃહ સચિવ અજય ભલ્લા અને અન્ય વરિષ્ઠ અધિકારી સામેલ થયા હતા.
ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ કોરોના સંક્રમિત થયા હતા, ત્યાર બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. જો કે અમિત શાહનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં હતા.
જો કે થોડા દિવસ પછી અમિત શાહને ફરી શ્વાસ લેવામાં તકલીફ થતાં એમ્સ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં હતા, ત્યાર બાદ તેઓને 17 સપ્ટેમ્બરના રોજ ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં હતા.
Union Home Minister Amit Shah today held a review meeting with the senior officials of the Ministry of Home Affairs. Several important matters and key issues were discussed in the meeting. pic.twitter.com/iF8b2yzRvo
રવિવારે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ડેસ્ટિનેશન નોર્થ ઇસ્ટ 2020 ફેસ્ટનું ઉધ્ધાટન કર્યું હતું. આ અવસર પર અમિત શાહે કહ્યું હતું કે પૂર્વોત્તર વગર ભારત અને ભારતીય સંસ્કૃતિ અધૂરી છે. અર્થવ્યવસ્થા, પર્યટન અને રોજગારીને પ્રોત્સાહન આપવા માટે પૂર્વોત્તરમાં શાંતિ સુનિશ્ચિત કરવી મહત્વપૂર્ણ હતી.