છત્તીસગઢના નક્સલ પ્રભાવિત બીજાપુરમાં અથડામણમાં 22 જવાન શહીદ થયાં બાદ દેશના ગૃહમંત્રી અમિત શાહે તાબડતોબ ચૂંટણી પ્રચાર અટકાવીને દિલ્હી જવા રવાના થયાં છે અને શહીદ જવાનોના પરિવારજનોને સાંત્વના આપતા કહ્યું હતું કે, જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાય.
છત્તીસગઢમાં 22 જવાન શહીદની ઘટના
અમિત શાહ આવ્યા એક્શન મોડમાં
ચૂંટણી પ્રવાસ ટૂંકાવી દિલ્હી જવા થયાં રવાના
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, જવાનોનું બલિદાન વ્યર્થ નહીં જાય. લડાઇને અંજામ સુધી લઇ જઇશું. શહીદોના પરિવાર પ્રતિ સંવેદના છે. શહીદ જવાનોને હું શ્રદ્ધાંજલિ આપું છું. જવાનોએ દેશ માટે બલિદાન આપ્યું છે.
A search operation is underway. Both sides have suffered losses. Our jawans have lost their lives. I pay tributes to them. I want to assure their families that their sacrifice will not go in vain: Union Home Minister Amit Shah in Guwahati, on Sukma Naxal attack pic.twitter.com/dOuv8htuaa
અમિત શાહે આ ઘટનાની ગંભીરતાથી લેતા રવિવાર સવારે છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલને ફોન કરીને બીજાપુરમાં થયેલ નક્સલી ઘટના સંબંધિત વિસ્તૃત ચર્ચા કરી હતી. મુખ્યમંત્રી બઘેલે કેન્દ્રીય ગૃહમંત્રીને બીજાપુરમાં રાજ્ય અને કેન્દ્રના સુરક્ષા જવાનો અને નક્સલીઓ વચ્ચે થયેલ અથડામણની સ્થિતિથી અવગત કરાવ્યા હતા.
Union Home Minister Amit Shah has cut shorts his poll campaign in Assam & is returning to Delhi in view of Naxal attack in Chhattisgarh. He is returning after addressing one out of three rallies he was supposed to address: Jitendra Singh, BJP's co-in charge for Assam poll to ANI pic.twitter.com/2Ug2NaeOZo
ઉલ્લેખનીય છે કે, નક્સલી જવાનોની હત્યા બાદ તેમના હથિયાર લૂંટી લેવામાં આવ્યા છે. હુમલાનો માસ્ટરમાઇન્ડ બટાલિયન નં-1નો હેડ હિડમાં છે, માઓવાદીઓની આ સૌથી મોટી બટાલિયન છે.
શું બની હતી ઘટના ?
છત્તીસગઢના બીજાપુરમાં 200 જેટલા નક્સલીયોએ ભારતીય સેના પર મોટો હુમલો કર્યો હતો. જેમાં કુલ 22 જવાન શહીદ થયા છે. હજુ પણ 1 જવાન લાપતા છે.છત્તીસગઢના બીજાપુર જિલ્લાના તરરેમમાં થયેલા નક્સલી હુમલામાં વધુ 20 જવાનોના મૃતદેહ મળી આવ્યા છે. DG DM અવસ્થીએ આ વાતની પુષ્ટિ કરી છે. અત્યાર સુધીમાં કુલ 22 મૃતદેહ મળી આવ્યા છે. હજુ પણ 1 જવાન લાપતા છે. કુલ 31 જવાન ઇજાગ્રસ્ત છે. આ વર્ષનો આ સૌથી મોટો નક્સલી હુમલો છે.
શનિવારે આ હુમલામાં નક્સલીઓએ રૉકેટ લૉન્ચર અને LMGનો ઉપયોગ કર્યો હતો. સેનાએ નક્સલીઓના સૌથી મજબૂત ગઢ બીજાપુરમાં આ ઑપરેશન ચલાવ્યું હતું. નક્સલીઓ વિરૂદ્ધ અભિયાન નક્સલીઓના સૌથી મોટા પીપુલ્સ લિબરેશન ગ્રુપ આર્મી પ્લાટૂન વન(PLGA 1)માંથી એક હિડમાના ગઢમાં હતો.
CRPF અને છત્તીસગઢ પોલીસને માહિતી હતી કે નક્સલીઓના મોટા કમાન્ડર હિડમા આ હુમલાથી 1 કિલોમીટર દૂર પોવર્તી ગામમાં છે જ્યારબાદ CRPF અને છત્તીસગઢ પોલીસની ડિસ્ટ્રીક્ટ રિઝર્વ ગાર્ડે એક જોઇન્ટ ઑપરેશન ચલાવ્યું હતું.
15 નક્સલીઓ ઠાર મરાયા
સેના પર આ હુમલો નક્સલીઓના સંગઠન પીપુલ્સ લિપરેશન ગ્રુપ આર્મી પ્લાટૂન વનની યૂનિટે કર્યો છે જેનું નેતૃત્વ હિડમા જ કરે છે. સેનાને ફણ આ ઑપરેશનમાં મોટી કામયાબી મળી છે અને નક્સલ કાડરના 15 નક્સલી માર્યા ગયા છે, પરંતુ જેવી અંદર સેના જઇ રહી હતી નક્સલીઓએ તેમના પર હુમલો કરી દીધો.
ગઇકાલે અથડામણ બાદ લાપતા થયેલા જવાનોની શોધખોળ કરાઇ હતી
ગઇકાલે અથડામણ બાદ 21 જવાન લાપતા થયા હતા. જવાનોની શોધખોળ માટે આજે સવારે ફરીથી સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું. ત્યારે ગઇકાલે અથડામણમાં શહીદ થયેલા 5માંથી 2 જવાનોના મૃતદેહ મળી આવ્યા આવ્યા હતા. ત્યારે આજે લાપતા જવાનોની શોધખોળ દરમિયાન વધુ 20 જવાનોના મૃતદેહ મળી આવ્યા છે. આમ, અત્યાર સુધીમાં કુલ 22 જવાન શહીદ થયા છે.
તો અથડામણમાં કેટલાક જવાન ઇજાગ્રસ્ત પણ થયા છે. ઇજાગ્રસ્ત જવાનોમાં, 23ને બીજાપુર હોસ્પિટલમાં અને 7ને રાયપુરની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ ઘટનાસ્થળ પર પહોંચીને ઘટનાની તપાસમાં લાગી છે.
હુમલાની પુષ્ટિ કરનારા એસપી મોહિત ગર્ગે જણાવ્યું કે, ઘાત લગાવીને બેઠેલા નક્સલીયોને જવાનોની બસ પર હુમલો કર્યો. અથડામણમાં ઇજાગ્રસ્ત જવાનોના રેસ્ક્યૂ માટે 2 MI 17 હેલિકૉપ્ટર બીજાપુર મોકલાયા હતા.
વીર શહીદોના બલિદાનને ક્યારે નહીં ભૂલાવી શકાયઃ પ્રધાનમંત્રી મોદી
પ્રધાનમંદ્રી મોદીએ શનિવારે છત્તીસગઢમાં નક્સલીઓ સાથેની અથડામણમાં સેનાના જવાનોના શહીદ થવા પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, તેમના બલિદાનને ક્યારેય નહીં ભુલાવી શકાય. મારી સંવેદના છત્તીસઘઢમાં માઓવાદિયોથી લડતા શહીદ થનારા જવાનોના પરિવારજનો સાથે છે. ઇજાગ્રસ્તોને તાત્કાલિક સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.