ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાફેલની શસ્ત્ર પૂજા પર વાકયુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે સોશ્યિલ મીડિયા પર એક જૂનો વીડિયો સામે આવ્યો છે. જેમાં દેશના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુ એક જળયાનના જલાવતરણના અવસરે નારિયેળ વધેરીને પૂજા કરતા જોવા મળી રહ્યા છે.
ભારતના પહેલા રાફેલની ફ્રાંસમાં શસ્ત્રપૂજાને લઈને વિવાદ
પંડિત નહેરૂનો વીડિયો આવ્યો સામે, કરી હતી જહાજની પૂજા
વીડિયોમાં મંત્રોચ્ચારની સાથે જહાજની થઈ હતી પૂજા, નહેરુએ વધેર્યું હતું નારિયેળ
રાજનાથ સિંહ દ્વારા ‘શસ્ત્ર પૂજા’ કરવા પર રાજકીય વિવાદ
દેશના પહેલા રાફેલ યુદ્ધ વિમાનની ફ્રાંસમાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ દ્વારા ‘શસ્ત્ર પૂજા’ કરવા પર રાજકીય વિવાદ ચાલી રહ્યો છે. કોંગ્રેસે રાફેલ પર ઓમ લખી, નારિયેળ વધેરી પૂજા કરવા અને ‘શસ્ત્ર પૂજા’ કરવાને ડ્રામા ગણાવ્યો છે. જેની પર બીજેપીએ તેને ભારતીય રિતરિવાજો અને પરંપરાનો વિરોધી કહ્યા છે.
श्री @rajnathsingh जी ने कोई नया काम तो नहीं किया की दोनों और से शोर मच गया
आज़ाद व सेक्युलर भारत में नेहरू जी के समय ही से सरकारी योजनाओं व समारोह का आरंभ मंत्र अनुष्ठान दीपक नारियल एवं अन्य भारतीय व क्षेत्रीय परंपराओं के साथ होता आ रहा है
हाँ अब राजनीतिक फ़ायदों के लिए होता है https://t.co/7fUl3sklJ9
— Syed Athar Dehlavi सैयद अतहर देहलवी سید اطہر دہلوی (@maulanadehlavi) October 9, 2019
સોશ્યિલ મીડિયા પર સામે આવ્યો જૂનો વીડિયો
રાફેલની ‘શસ્ત્ર પૂજા’ પર છેડાયેલા વાકયુદ્ધની વચ્ચે સોશયલ મીડિયા પર એક જૂનો વિડીયો સામે આવ્યો છે, જેમાં દેશના પહેલા પ્રધાનમંત્રી જવાહરલાલ નેહરુ એક જહાજની પૂજા કરતા જોવા મળી રહ્યા છે. વિડિયોને સૈયદ અતહર દેહલવીએ 14 માર્ચ 2018એ ટ્વિટ કર્યો હતો. તેમણે દાવો કર્યો છે કે, આ વિડીયો 14 માર્ચ 1948નો છે, જ્યારે ભારતના પહેલા જહાજને વૈદિક મંત્રોચ્ચાર અને વિધિવત્ પૂજા અર્ચનાની સાથે તત્કાલીન પ્રધાનમંત્રી પંડિત નેહરુએ હિંદ મહાસાગરમાં ઉતાર્યું હતું.
ભાજપ- કોંગ્રેસમાં એકમેક પર વિવાદ
ખડગેએ મોદી સરકાર પર કટાક્ષ કરતા કહ્યું હતુ કે તેમની પાર્ટીએ એટલો દેખાડો નહોતો કર્યો જ્યારે તે સમયે સરકાર બફોર્સ ગન જેવા હથિયાર લઇને આવી હતી. તેમના આ નિવેદનને લઇ ભાજપે કોંગ્રેસને ભારતીય રીતિ-રિવાજો તેમજ પરંપરાઓની વિરોધી જણાવી છે.