કોરોના સંકટ વચ્ચે IMFએ ભારતના GDP દરમાં ઘટાડો કર્યો છે. IMFએ જણાવ્યું કે ચાલુ વર્ષમાં ભારતનો GDP દર 4.5 ટકા રહી શકે છે. કોરોનાના કારણે ઐતિહાસિક ઘટાડો થવાનો અંદાજ કર્યો છે. IMFના અર્થશાસ્ત્રી અને મૂળ ભારતના ગોપીનાથે આ નિવેદન આપ્યું છે. તેમને જણાવ્યું કે 2021માં અર્થવ્યવસ્થા ફરી પાટા પર આવી જશે. વર્ષ 2021માં GDP દર 6 ટકા રહી શકે છે.
IMFએ ભારતનો GDP દર ઘટાડ્યો
2020માં GDP દર 4.5 ટકા રહેશે
2021માં GDP 6 ટકા સાથે પાટા પર આવશે
એપ્રિલ 2020માં જાહેર કરાયેલા વિશ્વ આર્થિક પરિદ્રશ્યના અનુમાનથી 1.9 ટકા નીચે છે. IMFના અર્થશાસ્ત્રી અને મૂળ ભારતના ગોપીનાથે કહ્યું કે આ વિકટ સંકટને જોતા અમારું અનુમાન છે કે અર્થવ્યવસ્થામાં 2020માં 4.5 ટકાનો ઘટાડો આવશે. આ અનુમાન ઐતિહાસિક રીતે નીચું છે. લગભગ આ સ્થિતિ દરેક દેશની છે.
રિપોર્ટમાં કહેવાયું છે કે કોરોના મહામારીનો પ્રભાવ છેલ્લા 6 મહિનાની ગતિવિધી પર નકારાત્મક અસર કરે છે. પુનરુદ્ધાર પૂર્વના અનુમાનના આધારે તે ધીમો છે. 2021માં વૈશ્વિક વૃદ્ધિ 5.4 ટકા રહેવાનો અંદાજ છે. આ પહેલીવાર છે જ્યારે દરેક ક્ષેત્રમાં 2020માં વૃદ્ધિદર ઘટવાનું અનુમાન છે. ચીનમાં પહેલા 3 મહિનામાં ભારે ઘટાડા બાદ પુનરુદ્ધારનું કામ ચાલુ છે. તો સાથે જ 2020માં વૃદ્ધિદર 1.0 ટકા રહેવાનું અનુમાન છે.
1961 પછીની આ સૌથી ધીમી વૃદ્ધિ
IMFના કહેવા અનુસાર ભારતની અર્થવ્યવસ્થામાં 4.5 ટકાના ઘટાડાનું અનુમાન છે. તેનું કારણ વધુ સમય સુધી લૉકડાઉુન અને એપ્રિલમાં વિપરિત ધીમું પુનરુદ્ધાર છે. મળતી માહિતી અનુસાર 1961 પછીની આ સૌથી ધીમી વૃદ્ધિ છે. IMFની પાસે તેની પહેલાંનો આંક નથી. તેઓએ કહ્યું કે ભારતની અર્થવ્યવસ્થામાં 2021માં ઝડપ આવવાની આશા છે. તેમાં 6.0 ટકાની વૃદ્ધિનું અનુમાન છે. 2019માં ભારતનો વૃદ્ધિદર 4.2 ટકા રહ્યો હતો.
2021માં 6 ટકા વૃદ્ધિદરનું અનુમાન
IMFએ એપ્રિલમાં અનુમાન કર્યું હતું કે આખા વર્ષમાં 6.4 ટકાનો ઘટાડો થશે. પણ 2021માં 6 ટકા વૃદ્ધિદરનું અનુમાન એપ્રિલમાં આવેલા રિપોર્ટ અનુસાર 1.4 ટકા ઓછું છે. ગોપીનાથે કહ્યું કે કોરોનાના કારણે અર્થવ્યવસ્થાને મહામંદીનો સામનો કરવો પડ્યો છે. તેનાથી વાયરસને કાબૂમાં કરવા અને જીવન બચાવવામાં મદદ મળી પણ મહામંદી બાદ આ સૌથી મોટો ઘટાડો છે. દેશની 75 ટકાથી વધારે અર્થવ્યવસ્થા એકસાથે ખોલવામાં આવી છે. મહામારી ફેલાયા બાદ અનેક દેશોમાં સુધારો આવી રહ્યો છે. જો કે સારવારને લઈને કોઈ ખાસ પરિણામ મળ્યા નથી. દરેક દેશ પર તેનો પ્રભાવ અલગ અલગ છે.
વિકસિત અને વિકાસશીલ દેશોમાં આવશે ઘટાડો
ગોપીનાથે કહ્યું કે અમારું અનુમાન છે કે 2020માં વિકસિત અને વિકાસશીલ અર્થવ્યવસ્થામાં મોટો ફરક આવશે. વિકસિત અર્થવ્યવસ્થામાં જ્યાં વૃદ્દિદરમાં 8 ટકાનો ઘટાડો આવશે. જ્યારે વિકાસશીલ અર્થવ્યવસ્થામાં વૃદ્ધિદર 3 ટકા ઘટી શકે છે. જો ચીનને હટાવી દેવામાં આવે તો આ ઘટાડો 5 ટકા રહેશે. સાથે જ 95 ટકાથી વધુ દેશોમાં 2020માં દરેક વ્યક્તિની આવકમાં નકારાત્મક વૃદ્ધિ થશે.