દુનિયાભરમાં કોરોના વાયરસને રોકવા માટે વૈજ્ઞાનિકો અનેક રિસર્ચ કરી રહ્યા છે. આ દરમિયાન કેટલાક વૈજ્ઞાનિકોએ બાઈપોલર ડિસઓર્ડર અને બહેરાશ સહિત અનેક બિમારીઓની સારવારમાં ઉપયોગમાં લેનારી દવા અને કોરોના પર કારગત નિવડી છે. એબસેલેન (Ebselen) નામની આ દવા કોરોનાના ચેપને રોકવામાં સક્ષમ જોવા મળી છે. આનાથી બિમારીની સારવારનો નવો રસ્તો ખુલ્યો છે. વિજ્ઞાન પત્રિકા સાયન્સ એડવાન્સમાં પ્રકાશિત અધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાના પ્રસારમાં એમપીઆરઓ મોલિક્યૂલ મહત્વની ભૂમિકા ભજવશે.
એમપીઆરઓ મોલિક્યૂલ મહત્વની ભૂમિકા ભજવશે
વાયરસની એક એવા રુપની પણ ઓળખ થઈ છે.
વાયરના નવા રુપને ટાર્ગેટ કરી કોરોનાથી છુટકારો મેળવી શકાય છે
બાયોલોજિકલ મોલિક્યૂલના મોર્ડલિંગ કરતા વૈજ્ઞાનિકોએ હાલમાં રહેલી હજારો દવાઓ પર તેની તપાસ કરી છે, આ પ્રક્રિયા દરમિયા વૈજ્ઞાનિકોએ જોયું કે એબસેલેન દવા આ મોલિક્યૂલને નિશાનો બનાવી વાયરસને ફેલાતો અટકાવવા સક્ષમ છે. અન્ય બિમારીઓમાં ઉપયોગમાં લેવાતી આ દવાના અનેક ક્લીનિકલ ટ્રાયલમાં સલામત જોવા મળી છે.
વૈજ્ઞાનિકોએ કહ્યું કે અધ્યયનમાં પરિણામ 2 રીતે લાભકારણ જોવા મળ્યું છે. આ પહેલા વધુ એક એમ્બસેલેન દવા નવા રુપે ઉપયોગમાં લેવાનો રસ્તો તૈયાર થઈ ગયો છે. ત્યારે વાયરસની એક એવા રુપની પણ ઓળખ થઈ છે. જેને ટાર્ગેટ કરી કોરોનાથી છુટકારો મેળવી શકાય છે.
ઉલ્લેખનીય છે કે દુનિયાભરમાં કોરોનાના દર્દીઓની સારવારમાં રેમેડેસિવિર, એન્ટીવાયરલ દવા ફેવિપિરાવિર, ડેક્સામેથાસોન, હાઈડ્રોક્સીક્લોરોક્વીન સહિત અન્ય દવાઓનો સમાવેશ થાય છે.