ગુજરાતમાં વધતા કોરોના વાયરસના કેસ વચ્ચે અમદાવાદ મનપાએ ખાનગી હોસ્પિટલમાં સારવારને લઇને મોટો નિર્ણય કર્યો છે. તંત્રએ ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર લેવા માટે મહત્તમ ફીના ધારાધોરણ નક્કી કરી લીધા છે. આ માટે તંત્રએ 42 ખાનગી હોસ્પિટલોને કોવિડ-19 હોસ્પિટલ જાહેર કરી છે. ખાનગી હોસ્પિટલો બેફામ લાખોના પેકેજથી કોરોનાની દવા કરીને દર્દીઓને લૂંટી ન શકે આ માટે હાઈકોર્ટના આદેશ બાદ તંત્રએ નવી રૂપરેખા સાથે ખાનગી હોસ્પિટલો સાથે હાથ મિલાવીને 50:50ના આધારે ભાવ નક્કી કર્યા છે.
42 ખાનગી હોસ્પિટલોને કોવિડ-19 હોસ્પિટલ જાહેર કરવામાં આવી
50 ટકા બેડ સરકારી હશે જેનો ખર્ચ અમદાવાદ મનપા ચૂકવશે
અમદાવાદમાં કોરોના સંકટની જવાબદારી ACS ડો. રાજીવ ગુપ્તાને સોંપાયા બાદ એક પછી એક નિર્ણયો અને ગાઈડલાઈન બહાર આવી રહ્યા છે. AMC દ્વારા અગાઉ જાહેરાત કરાઈ હતી કે કૉવિડ-19ના દર્દીઓ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં પણ સારવાર લઈ શકશે જેનો ખર્ચ અમદાવાદ મનપા ભોગવશે. આ જ સંદર્ભે AMCએ 42 ખાનગી હોસ્પિટલોને કોવિડ 19 હોસ્પિટલ જાહેર કરીને તેમના 50 ટકા બેડ સરકારી રહેશે જેનો ખર્ચ સરકાર ભોગવશે, જ્યારે અન્ય 50 ટકા બેડ ખાનગી હોસ્પિટલ સરકારે નક્કી કરેલા ભાવ મુજબ વસૂલી શકશે તેવી જાહેરાત કરી છે.
અમદાવાદની કઈ 42 હોસ્પિટલોનો સમાવેશ કરવામાં આવ્યો છે?
1
STARLING CANCER HOSPITAL.PAKWAN CHAR RASTA
2
HCG HOSPITAL,MITHAKALI, NAVRANGPURA
3
NARAYANI MULTI-SPECILITY HOSPITAL,RAKHIYAL CHAR RASTA SAVIOUR HOSPITAL,NAVRANGPURA
LIFE CARE HOSPITAL - SARDAR PATEL COLONY NR. STADIUM
કઈ શરતોનું પાલન કરવાનું રહેશે?
ફક્ત આ 42 જ નહીં AMCની હદમાં આવતી કોઈ પણ હોસ્પિટલ કોર્પોરેશને નક્કી કરેલા ચાર્જથી વધુ ફી નહીં વસુલી શકે તેવી તાકીદ કરાઈ છે. આ ભાવો આ પ્રમાણે છે.
બેડ
સરકારી બેડ માટે ફી (ખાલી)
સરકારી બેડ માટે ફી (ભરેલા)
ખાનગી બેડ માટે મહત્તમ ફી
વોર્ડ
720
4500
10,000
HDU
1080
6750
14000
આઈસોલેશન + ICU
1440
9000
19000
વેન્ટિલેશન + આઈસોલેશન + ICU
1800
11250
23000
* સરકારી બેડનો ખર્ચ સરકારી તંત્ર ચૂકવશે
જો કે આ નક્કી કરેલ ફીમાં ડાયાલિસીસની કિંમત ઉમેરાશે નહીં, એક વખત ડાયાલિસીસ માટે 1650 Rs.ચૂકવવાના રહેશે
આ સિવાય આ નક્કી કરેલ ફીમાં Tocilizumab દવા, સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરની વિઝીટ, સ્પેશિયલિસ્ટ લેબ ટેસ્ટ ની ફી સામેલ કરવામાં આવેલ નથી. ઉપર નક્કી કરવામાં આવેલ ફીમાં બે ટાઈમનું ભોજન, સવાર-સાંજની ચા અને નાસ્તો મળશે.
આ સાથે એમ પણ હુકમ કરવામાં આવ્યો છે કે આ 42 હોસ્પિટલની અંદર અત્યારે કોઈ પણ પ્રકારના ફેરફારો કરતા પહેલા AMCની મંજૂરી લેવી ફરજિયાત હશે. આ ઉપરાંત એ પણ હુકમ કરવામાં આવ્યો છે કે બંને વિભાગના દર્દીઓની સારવારમાં કોઈ પ્રકારનો ભેદભાવ ન કરવામાં આવે તેનું ધ્યાન રાખવામાં આવે.