અમદાવાદ શહેરમાં ઘાસચારો વેચતા લોકો સામે થશે કાર્યવાહી, રખડતાં ઢોરનો પ્રશ્ન નિવારવા મોટું પગલું
અમદાવાદમાં રખડતાં ઢોર મામલે AMCનો નિર્ણય
ઘાસ વેચતા લોકોની લારીઓ જપ્ત કરવામાં આવશે
એસ્ટેટ વિભાગને કાર્યવાહી કરવા કમિશનરે સૂચના આપી
અમદાવાદ માં રખડતા ઢોર ના આતંક મામલે આખરે કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.જ્યાં હવે ઘાસ ચારો વેંચતા લારી દેખાશે તેની સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે જે મામલે મ્યુ કમિશનર દ્વારા સ્ટેસ્ટ વિભાગ ને આદેશ કરી દેવામાં આવ્યો છે.જાહેર રોડ પર ઘાસ ચારો વેંચતા ઢોર રોડ પર આવતા હોય છે જેના કારણે અકસ્માત સર્જાય છે.ઘાસ વિક્રેતાની લારી 1 મહિના સુધી મનપા દ્વારા છોડવામાં નહીં આવે.તો ચાલુ મહિને મનપા દ્વારા 1800 ઢોર પકડવામાં આવ્યા છે.
ગઈકાલ બુધવારની બેઠકમાં શું થયું હતું?
અમદાવાદ શહેરમાં રખડતાં ઢોરની સમસ્યા મહાનગરપાલિકા દૂર કરી શકી નથી.ઢોર અંકુશ વિભાગ દ્વારા કરોડોનો ખર્ચ કરવા છતાં પરિણામ આવી શક્યું નથી.ત્યારે AMCની હેલ્થ કમિટીની બેઠકમાં રખડતા ઢોરનો મુદ્દો ઉઠ્યો હતો.હેલ્થ કમિટીના ડેપ્યુટી હેલ્થ ચેરમેને અધિકારીઓને ખખડાવ્યા હતા.હેલ્થ કમિટીના ચેરમેન ભરત પટેલે ઠપકો આપતા કહ્યું હતું કે, કમિટી આવે ત્યારે કામગીરી સારી કરવામાં આવે છે અને પછી કામગીરી દેખાતી નથી. જો કામગીરી યોગ્ય રીતે નહિ કરવામાં આવે તો પગલાં ભરવામાં આવશે તેવી ચીમકી આપી હતી.આ સુચના મુજબ નિર્ણય લેવામાં આવ્યો હોય તેવુ સ્પષ્ટ દેખાઈ આવે છે.
કેટલા રખડતાં ઢોર પકડ્યા?
આપને જણાવી દઈએ કે, CNCD વિભાગ દ્વારા ઢોર પકવાની કામગીરી અંગે વાત કરીએ તોચાલુ વર્ષે 2 હજાર 720 ઢોર પકડવામાં આવ્યા છે તેની સામે 270 ઢોર છોડવામાં આવ્યા છે.જ્યારે પશુઓના માલિકો પાસેથી 14 લાખ 48 હજારનો દંડ વસુલાયો છે તો.170 માલિકો સામે પોલીસ ફરિયાદ કરવામા આવી છે.
ભાવનગર મનપાએ પણ લીધો નિર્ણય
ભાવનગરમાં રખડતા ઢોરનો અસહ્ય ત્રાસ છે અને કોર્પોરેશનને બનાવેલા બંને ઢોર ડબ્બામાં પણ 1200થી વધુ ઢોર પુરેલા છે પરંતુ માત્ર પકડવા થી તેનો ઉકેલ નથી. જેથી અમદાવાદની ગૌશાળાને પ્રથમ તબક્કે 500 ઢોર મોકલવામાં આવશે. જેને આજે સ્ટેન્ડીંગમાં મંજૂરી પણ આપી હતી. અમદાવાદની આ ગૌશાળાને ભાવનગર મનપા નિભાવ ખર્ચ પેટે દરેક ઢોર દીઠ એક વખત રૂપિયા 6100 ચુકવશે.આમ જોવા જઈએ તો મનપા 500 ઢોરના રૂપિયા 30 લાખ ગૌશાળાને આપશે. ભાવનગર શહેરના નારી રોડ ઉપર ઢોરનો ડબ્બો બનાવવા 5 એકરની જગ્યા કલેકટર પાસે માંગવામાં આવી.તેમજ સીદસરથી હિલપાર્ક પર પણ એક ઢોરનો ડબ્બો બનાવવાની કામગીરી શરૂ છે. બીજી તરફ વિપક્ષ એ શાસક પક્ષ ઉપર આક્ષેપ કરતા કહ્યું છે કે ભાવનગર મનપા ના શાસકોએ અગાઉ પણ રખડતા ઢોરને પકડીને મોકલવામાં માટે 4 થી 5 જગ્યાઓ ઉપર વાત કરી હતી પરંતુ માત્ર ગણ્યા ગાંઠ્યા ઢોર પકડીને કામ બંધ કરી દેવામાં આવે છે.