ગુજરાતમાં 29 જૂનથી ચોમાસુ સક્રિય થવા અંગે અંબાલાલ પટેલે આગાહી કરી છે, હાલ રાજ્યમાં પવન અને ગાજવીજ સાથે છૂટો-છવાયો વરસાદ થશે
ચોમાસાને લઇ અંબાલાલ પટેલની આગાહી
29 જૂનથી ચોમાસુ સક્રિય થશે
ઉત્તર ગુજરાતના અને દક્ષિણ સૌરાષ્ટ્ર ભાગમાં વરસાદ થશે
ચોમાસાને લઇ દેશી રીતે આગાહી કરતા અંબાલાલ પટેલે વધુ એક માહિતી આપી છે. 29 જૂનથી ચોમાસુ સક્રિય થશે. તેવું અંબાલાલ પટેલ કહી રહ્યા છે. હાલ રાજ્યમાં પવન અને ગાજવીજ સાથે છૂટો-છવાયો વરસાદ થશે. ઉત્તર ગુજરાતના અને દક્ષિણ સૌરાષ્ટ્ર ભાગમાં વરસાદ થશે. કૃષિ માટે વરસાદ અનુકૂળ રહેશે તેવું પણ અંબાલાલે કહ્યું છે. જૂલાઇમાં સમગ્ર ગુજરાતમાં સારો વરસાદ થવાની સંભાવના દર્શાવી છે. 5 જૂલાઇ બાદ વરસાદને લીધે જીવ જંતુનો ત્રાસ વધશે.
13 જુલાઇ બાદ રાજ્યમાં ભારે વરસાદ થવાની સંભાવના દર્શાવી છે. આ વર્ષે ચોમાસામાં એકંદરે સારો વરસાદ થશે. ઓગસ્ટ અને સપ્ટેમ્બર માસ સુધી વરસાદ રહેશે. તો 18 નવેમ્બર બાદ બંગાળના ઉપસાગરમાં વાવાઝોડાની પ્રક્રિયા થશે. આ વર્ષે ઠંડીની શરૂઆત વહેલી થશે. ડિસેમ્બર માસથી ઠંડીની શરૂઆત થઈ જશે.
રાજ્યના અનેક જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. અનેક તાલુકા અને જિલ્લામાં વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. ત્યારે આજે રાજ્યના 103 તાલુકામાં વરસાદ વરસવાનું શરૂ થઇ ગયું છે. આજે નોંધાયેલા વરસાદની વાત કરીએ તો, રાજ્યમાં સૌથી વધુ આણંદ જિલ્લામાં 7.5 ઈંચ વરસાદ નોંધાયો છે. તો ચોર્યાસીમાં 4.5 ઈંચ, ઓલપાડમાં 3.5 ઈંચ, પેટલાદમાં 3.5 ઈંચ, સુરતમાં 3 ઈંચ,જલાલપોરમાં 2.5 ઈંચ, નેત્રંગમાં 2.5 ઈંચ, નવસારીમાં 2.5 ઈંચ, ઉમરગામમાં સવા 2 ઈંચ નોંધાયો હતો. જ્યારે કરજણમાં સવા 2 ઈંચ, બોરસદમાં સવા 2 ઈંચ, વાપીમાં 2 ઈંચ, જૂનાગઢમાં 2 ઈંચ, પારડીમાં 2 ઈંચ, વલસાડમાં પોણા 2 ઈંચ, ધરમપુરમાં પોણા 2 ઈંચ, આંકલાવમાં પોણા 2 ઈંચ વરસાદ નોંધાયો હતો..