એમેઝોને ભારતમાં 1 અબજ ડોલર એટલે કે જંગી 7000 કરોડ રૂપિયાના ઇન્વેસ્ટમેન્ટ મુદ્દે પિયુષ ગોયલે તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ રોકાણ કરીને એમેઝોન ભારત ઉપર કોઈ મોટો ઉપકાર નથી કરી રહ્યું. આ નિવેદનથી એમેઝોનના CEO જેફ બેઝોઝની હાલ ભારતની મુલાકાત દરમિયાન ચાલી રહેલા તણાવોને સપાટી પર લાવી દીધા છે.
એમેઝોન, ફ્લિપકાર્ટ ઉપર આક્ષેપ: તેઓ જંગી ડિસ્કાઉન્ટ આપી આપીને નાના વિક્રેતાઓને ભારે ખોટ કરાવી રહ્યા છે
આ આક્ષેપો દરેક ભારતીય માટે ચિંતાનો વિષય: પીયુષ ગોયલ
એમેઝોન અને વોલમાર્ટની ફ્લિપકાર્ટ હાલ ભારતના વિક્રેતાઓની ભારે ટીકાનો સામનો કરી રહ્યા છે. તેમની સામે આક્ષેપ છે કે તેઓ જંગી ડિસ્કાઉન્ટ આપી આપીને નાના વિક્રેતાઓને ભારે ખોટ કરાવી રહ્યા છે. આમ કરવામાં તેઓ ભારતના કાયદાઓનો પણ ભંગ કરી રહ્યા છે. જો કે બંને કંપનીએ આ આરોપો ફગાવી દીધા છે.
"ભારતમાં હાલમાં ભલે તેમણે 1 અબજ ડોલરનું રોકાણ કરી દીધું પણ આવતી ડિસ્કાઉન્ટ સિઝનમાં ભારે સેલ આપીને તેઓ વાર્ષિક અબજો ડોલરનું નુકશાન કરી નાખશે. આ રોકાણ કરીને એમેઝોન ભારત ઉપર કોઈ મોટો ઉપકાર નથી કરી રહ્યું." ભારતના વ્યાપાર મંત્રી પિયુષ ગોયલે સુરક્ષા પરિષદમાં આવો આક્ષેપ મુક્યો હતો.
આ નિવેદનથી એમેઝોનના CEO જેફ બેઝોઝ ની હાલ ભારતની મુલાકાત દરમિયાન ચાલી રહેલા તણાવોને સપાટી પર લાવી દીધા છે. બેઝોઝે ભારતના નાના ધંધા એકમોમાં 1 અબજ ડોલરના રોકાણની ઘોષણા કરી હતી. આ પગલાં પાછળનો તેમનો ઉદ્દેશ તેમની ટીકાઓ ઓછી કરવાનો હોઈ શકે છે.
Competition Commission of India (CCI)એ એમેઝોન અને ફ્લિપકાર્ટ સામેના જંગી ડિસ્કાઉન્ટ સામે નાના વિક્રેતાઓને થતું નુકશાન અને ભેદભાવ અંગેના આક્ષેપો સામે તાપસ કરવાનો આદેશ આપ્યો છે.
પિયુષ ગોયલે કહ્યું હતું કે આ આક્ષેપો દરેક ભારતીય માટે ચિંતાનો વિષય છે.