સમાજવાદી પાર્ટીના નેતા અને રાજ્યસભાના સાંસદ અમરસિંહે અમિતાભ બચ્ચન અને બચ્ચન પરિવાર પાસે માફી માંગી છે. અમર સિંહે પોતાના પિતાની પુણ્યતિથિ નિમિત્તે ટ્વિટર પર એક ટ્વિટ કરીને માફી માગી છે. અમર સિંહે ટ્વિટ કરી કહ્યું કે, આજે મારા પિતાની પૂર્ણતિથિ છે અને આ અંગે મને અમિતાભ બચ્ચનજી તરફથી સંદેશ મળ્યો.
સમાજવાદી પાર્ટીના નેતા અમરસિંહનું નિવેદન
અમિતાભ બચ્ચન તથા પરિવારની માગી માફી
થોડા વર્ષ પહેલા બચ્ચન પરિવાર વિશે કરી હતી ટિપ્પણી
જીંદગીના પડાવ પર હું મોત સામે ઝઝૂમી રહ્યો છું ત્યારે હું અમિતજી અને તેમના પરિવારની ભૂતકાળમાં મેં કરેલી ટિપ્પણીઓ અંગે માફી માંગવા માંગુ છું.ઈશ્વર બચ્ચન પરિવાર પર પોતાના આશીર્વાદ વરસાવતા રહે.
અમરસિંહ અને બચ્ચન પરિવાર વચ્ચે હતા ગાઢ સંબંધ
Today is my father’s death anniversary & I got a message for the same from @SrBachchan ji. At this stage of life when I am fighting a battle of life & death I regret for my over reaction against Amit ji & family. God bless them all.
આપને જણાવી દઈએ કે,અમરસિંહ અને બચ્ચન પરિવાર વચ્ચે એક સમયે બહુ ગાઢ સબંધો હતો. અમર સિંહ બચ્ચન પરિવારના એક સભ્ય જ ગણાતા હતા. જો કે બાદમાં આ સબંધો કથળ્યા હતા અને જયા બચ્ચને મહિલાઓ પરના અપરાધ અંગે આપેલા ભાષણ પર અમરસિંહે ટિપ્પણી પણ કરી હતી.
કિડનીની તકલીફથી પીડાઇ રહ્યા અમરસિંહ
અમરસિંહને થોડા વર્ષો પહેલા કિડની સંબંધિત તકલીફોનું નિદાન થયું હતું. અમરસિંહે પોતાના ટ્વીટમાં જે વાતનો ઉલ્લેખ કર્યો છે તે છે જ્યારે તે અને બચ્ચનના પારિવારિક સંબંધો હતા. અમિતાભ અને અમરસિંહ થોડા વર્ષો પહેલા સુધી ખૂબ સારા મિત્રો હતા. અમરસિંહે પોતાના નિવેદનમાં કહ્યું કે અમિતાભે તેમની સાથેની મિત્રતાનો અંત આણ્યો છે અને એમ પણ કહ્યું કે અમિતાભ અને તેની પત્ની જયા હવે અલગ રહે છે.
2017માં અમિતાભ બચ્ચનના પરિવારને લઇને કરી હતી ટિપ્પણી
2017 માં અમરસિંહે એક મુલાકાતમાં કહ્યું હતું કે, "અમિતાભ બચ્ચનને મળ્યા તે પહેલાથી જયા અને તે અલગ રહેતા હતા. તેમાંથી એક પ્રતિક્ષામાં રહેતા અને બીજા જનક નામના બંગલામાં રહેતા હતા. એવું પણ કહ્યું હતું કે ઐશ્વર્યા રાય બચ્ચન અને જયા બચ્ચન વચ્ચે બધું બરાબર નથી. હું આ બધી બાબતોમાં દોષી નથી. " અમરસિંહે કહ્યું કે અમિતાભે જાતે જ તેમને કહ્યું હતું કે તેમણે જયા બચ્ચનની સમાજવાદી પાર્ટીમાં સદસ્યતા સ્વીકાર નહીં કરે.