માર્ચમાં દેશમાં 2 હજારની માત્ર 24, 510 લાખ નોટો જ ચલણમાં બચી છે.
2 હજારની નોટો સોથી વધારે વર્ષ 2017- 18 દરમિયાન ચલણમાં હતી
બજારમાંથી 1.82 લાખ રુપિયા 2000 ની નોટ ચલણમાંથી બહાર થઈ ગઈ
એપ્રિલ 2019 બાદ કેન્દ્રીય બેંકોએ 2 હજારની એક પણ નોટ નથી છપાઈ
2 હજારની નોટો સોથી વધારે વર્ષ 2017- 18 દરમિયાન ચલણમાં હતી
મોદી સરકારે 8 નવેમ્બર 2016થી દેશમાં 500 અને 1000 રુપિયાની નોટો ચલણમાંથી બહાર કરી હતી. નોટબંધીના આ નિર્ણય બાદ રુપિયા અને 2000 રુપિયાની નવી નોટો ચલણમાં આવી હતી. દેશમાં 2 હજારની નોટો સોથી વધારે વર્ષ 2017- 18 દરમિયાન ચલણમાં રહ્યુ . 2 હજારથી 33, 630 લાખ નોટો ચલણમાં હતી. આનું કુલ મૂલ્ય 6.71 લાખ કરોડ રુપિયા હતુ.
બજારમાંથી 1.82 લાખ રુપિયા 2000 ની નોટ ચલણમાંથી બહાર થઈ ગઈ
નોટબંધી બાદ મોટી સંખ્યામાં જારી કરવામાં આવેલી 2 હજારની નોટ હવે ચલણમાં નથ રહી. આની સંખ્યામાં 9, 120 લાખ એટલે કે 27 ટકાનો ઘટાડો આવ્યો છે. આ રીતે બજારમાંથી 1.82 લાખ રુપિયા 2000 ની નોટ ચલણમાંથી બહાર થઈ ગઈ છે.
એપ્રિલ 2019 બાદ કેન્દ્રીય બેંકોએ 2 હજારની એક પણ નોટ નથી છપાઈ
નાણા રાજ્યમંત્રી અનુરાગ ઠાકુરે લોકસભામાં આ જાણકારી આપી હતી. કે ગત વર્ષ 2 હજારની એક પણ નોટ છપાઈ નથી. હકિકતમાં આરબીઆઈની સાથે વાતચીત કર્યા બાદ નોટો છપાઈને લઈને નિર્ણય કરી શકાય છે. એપ્રિલ 2019 બાદ કેન્દ્રીય બેંકોએ 2 હજારની એક પણ નોટ નથી છપાઈ. તેમની વાર્ષિક રિપોર્ટમાં પણ આ વાતનો ઉલ્લેખ છે. તો ક્યાં ગઈ આ નોટ.
ઉંચા મૂલ્યના કારણે 2 હજારની નોટોને કાળાધન તરીકે જમા કરવામાં આવી રહ્યુ છે
આરબીઆઈએ રિપોર્ટમાં આ 2 હજાની નોટની કોઈ જાણકારી આપી નથી. પરંતુ કેન્દ્રીય બેંકે એ સ્પષ્ટ કર્યુ છે કે આનું છાપકામ બંધ કરી દેવામાં આવ્યુ છે. એટલા માટે બેંક શાખાઓ સુધી 2 હજારની નોટો નથી પહોંચી રહી. વિશેષજ્ઞોનું કહેવુ છે કે એ વાતની સંપૂર્ણ શક્યતા છે કે ઉંચા મૂલ્યના કારણે 2 હજારની નોટોને કાળાધન તરીકે જમા કરવામાં આવી રહ્યુ છે. 2016માં નોટબંધીના સમયે પણ વિશેષજ્ઞોની 4થી 5 લાખ કરોડ રુપિયાની કરેન્સી પાછા ન આવવાની આશા હતી જો કે સત્તાવાર રિપોર્ટમાં 99 ટકા ધન પાછુ આવ્યુ.
2 હજારની માત્ર 24, 510 લાખ નોટો જ ચલણમાં બચી
RBI રિપોર્ટ મુજબ માર્ચમાં દેશમાં 2 હજારની માત્ર 24, 510 લાખ નોટો જ ચલણમાં બચી છે. જેની મુલ્ય 4. 90 લાખ કરોડ છે.
દેશમાં 31 માર્ચ 2021 સુધી ચલણમાં કુલ કરેન્સી નોટોમાં 500 અને 2000ની ભાગીદારી 85.7 ટકા રહી જે 31 માર્ચ 2020 સુધી83.4 ટકા હતી. RBIને રિપોર્ટ સ્પષ્ટ કરે છે કે 500ની નોટોએ 2 હજારની નોટોની જગ્યા લઈ લીધી છે. સર્કુલેશન કરેન્સી સૌથી વધારે ભાગીદારી 31.1 ટકા 500 નોટોની છે. જે બાદ 23.6 ટકા ભાગીદારી 10ની નોટોની છે.