સુરતમાં વાલીઓ દ્વારા શાળા 25 ટકા ફી માફ કરે તેવી માંગ કરવામાં આવી છે. સાથેજ વાલીઓએ માંગ કરી છે કે શાળાઓ દ્વારા ઓડિટ રિપોર્ટ રજૂ કરવામાં આવે.
સુરતના વાલીઓએ 25 ટકા ફી ઓછી કરવાની કરી માંગ
શાળાઓ ઓડિટ રીપોર્ટ રજૂ કરે તેવી વાલીઓની માંગ
શિક્ષકોને પગાર ઓછો અપાતો હોવાનો વાલીઓનો આક્ષેપ
કોરોનાને કારણે શાળાઓ છેલ્લા દોઢ વર્ષથી બંધને બંધ છે. પરંતુ શાળાઓ દ્વારા ફી મુદ્દે અવાર નવાર માગણી કરવામાં આવતી હોય છે. ત્યારે સુરતમાં શાળાઓના ઓડિટ રિપોર્ટ જાહેર કરવા માટે વાલીઓએ માગ કરી છે.
ઓડિટ રિપોર્ટ જાહેર કરવાની માંગ
શાળા દ્વારા ઓડિટ રિપોર્ટ જાહેર થાય તે મામલે વાલીઓએ FRCમાં રજૂઆત કરી છે. સાથેજ વાલીઓએ એવી માગ કરી છે કે શાળાઓમાં 25 ટકા ફી માફ કરવામાં આવે. ઉપરાંત વાલીઓએ એવી માગ પણ કરી છે કે તેઓ ગત વર્ષનો ઓડિટ રિપોર્ટ પણ જાહેર કરે. સમગ્ર મામલે વાલીઓમાં ફીને લઈને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.
ચોપડે અલગ પગાર બતાવાતો હોવાના આક્ષેપ
વાલીઓ દ્વારા એવા આક્ષેપ પણ કરવામાં આવ્યા છે કે શાળામાં શિક્ષકોને પગાર પણ ઓછો આપવામાં આવી રહ્યો છે. જોકે ચોપડે તેમનો પગાર અલગ બતાવામાં આવે છે તેવું વાલીઓનું કહેવું છે. જોકે વાલીઓના આ નિવેદનને લઈને હજુ સુધી શાળાઓ દ્વારા કે પછી શિક્ષકો દ્વારા હજુ સુધી કોઈ પ્રતિક્રીયા આપવામાં નથી આવી.
શાળાઓ શરૂ થવાની શક્યતા
જોકે આજે નાયબ મુખ્યમંત્રી નિતીન પટેલ દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું જેમા તેમણે કહ્યું કે શાળા શરૂ કરવા માટે હવે વાલીઓ તેમજ સંચાલકોની રજૂઆત વધી રહી છે. સાથેજ તેમણે એવું પણ કહ્યું હતું કે રાજ્યમાં કોરોનાનું સંક્રમણ ઘટી રહ્યું છે. જેથી શક્યતા છે કે સરકાર દ્વારા આગામી દિવસોમાં 9 થી 11 ધોરણના વર્ગો શરૂ કરવામાં આવશે.
સ્કૂલ ઓફ એક્સેલેન્સ મામલે વર્કશોપનું આયોજન
ઉલ્લેખનીય છે કે હવે રાજ્યના તમામ જિલ્લામાં હવે સ્કૂલ ઓફ એક્સેલેન્સ માટે સર્વે શરૂ કરવામાં આવશે. આ મામલે આજે શિક્ષણમંત્રીની અધ્યક્ષતામાં GCERTC ખાતે બેઠક મળી હતી. જેમા 300થી વધું સંખ્યા ધરાવતી સ્કૂલને પ્રાધાન્ય આપવામાં આવશે. સમગ્ર મામલે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાંએ કહ્યું કે શિક્ષણમાં ગુણવત્તા અને સુધારા માટે સરકાર કાર્યરત છે. સાથેજ તેમણે કહ્યું કે સ્કૂલ ઓફ એક્સેલેન્સ માટે 2 દિવસના વર્કશોપનું આયોજન પણ કરવામાં આવ્યું છે.