કેન્દ્ર સરકારે કહ્યું જે જે ખાનગી હોસ્પિટલોમાં નક્કી કરાયેલા માપદંડોનું પાલન કરવામાં આવી રહ્યું છે તેમને રસી ઉપલબ્ધ કરાવવામાં આવે.
સ્વાસ્થ્ય મંત્રાલયે બફર ભંડાર ન કરવા કરી અપીલ
સંક્રમણમાં 2 ટકા ઘટાડો થયો છે
વસ્તીનો મોટો ભાગ સંકટનો સમાનો કરી રહી છે
કેન્દ્ર સરકારે મંગળવારે તમામ પ્રાઈવેટ હોસ્પિટલોને કોરોનાની રસી ઉપલબ્ધ કરાવવાની પરવાનગી આપી દીધી છે. આ સાથે તેમણે કહ્યું જે જે ખાનગી હોસ્પિટલોમાં નક્કી કરાયેલા માપદંડોનું પાલન કરવામાં આવી રહ્યું છે તેમને રસી ઉપલબ્ધ કરાવવામાં આવે.
સંક્રમણમાં 2 ટકા ઘટાડો થયો છે
કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને તમામ હોસ્પિટલોને કોવિડ 19 રસીકરણ સત્રની યોજનાઓના અનુરુપ સંપૂર્ણ સમયા માટે રસી ફાળવણી સુનિશ્ચિત કરવાની અપીલ કરી છે. આ હોસ્પિટલોમાં સરકારી અને ખાનગી બન્નેનો સમાવેશ કરાયો છે. આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મંગળવારે કહ્યું કે ભારચમાં કોવિડ 19 સંક્રમણમાં 2 ટકા ઘટાડો થયો છે. જેનાથી ખબર પડે છે કે મહામારી નિયંત્રણમાં આવવાની નજીક છે . કેન્દ્રએ એક બેઠકમાં વાગોળ્યું કે રસીની કોઈ અછત નથી અને એટલા માટે પુરતા પ્રમાણમાં રસીના ડોઝને કોવિડ રસીકરણ કેન્દ્રોને ફાળવવામાં આવે.
સ્વાસ્થ્ય મંત્રાલયે કરી અપીલ
ઉલ્લેખનીય છે કે એ માર્ચથી રસીકરણનો બીજો તબક્કો શરુ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત 60 વર્ષથી વધારે ઉમંરના લોકો અને ગંભીર બિમારીઓથી ગ્રસ્ત 45 વર્ષથી વધારે ઉંમરના લોકોને રસી લગાવવામાં આવી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના એક નિવેદમાં કહ્યું કે રાજ્ય તથા કેન્દ્ર શાસિત પ્રદેશ રસીના સ્ટોરેઝ, રિઝર્વ, સંરક્ષિત ન રાખવું જોઈએ. ન તો બફર ભંડાર બનાવવો જોઈએ.
જેથી મહત્તમ ક્ષમતાનો ઉપયોગ થાય
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકારની પાસે રસીનો પુરતો ભંડાર છે અને રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને જરુરી ખોરાક ઉપલબ્ધ કરાવવામાં આવશે. રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોના નિયમિત રુપમાં ખાનગી હોસ્પિટલોની સાથે સંવાદ કરવા કહેવાયું છે. જેથી રસીકરણની તેમની મહત્તમ ક્ષમતાનો ઉપયોગ કરી શકાય. ત્યારે કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે સાપ્તાહિક સંવાદદાતા સમ્મેલનમાં કહ્યું કે જો કે મહારાષ્ટ્ર, કેરળ, તમિલનાડુ, પંજાબ, ગુજરાત અને મધ્ય પ્રદેશ સહિત કેટલાક અન્ય રાજ્યોમાં કોવિડ 19ના નવા અથવા ઉપચારાધિન દર્દીઓ 2 ટકાથી ઓછા(1.5 ટકા) છે.
વસ્તીનો મોટો ભાગ સંકટનો સમાનો કરી રહી છે
ભૂષણે કહ્યું કે મહારાષ્ટ્ર, તમિલનાડુ, પંજાબ, ગુજરાત અને મધ્ય પ્રદેશમાં કેન્દ્રીય ટીમો તૈનાત કરવામાં આવી છે. અમે હરિયાણાની નિગરાની કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કે બે રાજ્યો, મહારાષ્ટ્ર અને કેરળમાં દેશના કુલ સારવાર લઈ રહેલા દર્દીઓના 75 ટકા દર્દી છે. નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) વી. કે. પોલે લોકોને રસી લગાવવા અને સંક્રમણની ચેન તોડવાની અપીલ કરી છે. તેમણે કહ્યું કે એક મોટી વસ્તી હજું પણ આ રોગના સંકટનો સામનો કરી રહી છે અને તેમણે બેદરકારી પ્રત્યે ચેતવ્યા પણ છે.