બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ
રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી
Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી
AAPના પૂર્વ નેતા અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા હવે કમળ ખિલવશે, આવતીકાલે જોડાશે ભાજપમાં
BIG BREAKING | વડોદરાના સાંકરદા ગામમાં આઈસર અને ટ્રેલર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા 20 લોકો ઈજાગ્રસ્ત, કેટલાક લોકોના મોતની આશંકા, અડાસથી નટવર ગામમાં લગ્ન પ્રસંગમાં જતાં આઈસરનો અકસ્માત
સુરેન્દ્રનગરના લીંબડી-લખતર હાઈવે પર અકસ્માતમાં 2ના મોત, ડમ્પર ચાલકે અડફેટે લેતા બાઈક સવાર 2 લોકોના મોત, ઘાઘરેટિયા મેલડી માતાજીના મંદિર પાસે બની ઘટના, પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
VTV / મનોરંજન / બોલિવૂડ / Alia Ranbir Wedding date and destination almost fixed here is the detalis about their marriage
Mayur
Last Updated: 05:18 PM, 14 November 2021
એકતરફ લગ્નની મોસમ પૂરબહારમાં ચાલી રહી છે અને દરેક જગ્યાએ લગ્નના સમાચાર સાંભળવા મળી રહ્યા છે. આ સિઝનમાં માત્ર સામાન્ય લોકો જ નહીં પરંતુ મનોરંજન જગતના સ્ટાર્સ પણ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે. કોવિડના લીધે ઘણા લોકોના લગ્ન રહી ગયા હતા જે આ વખતે થશે.
રાજકુમાર રાવ અને પત્રલેખા બંધાયા
કેટલાક સ્ટાર્સના રિલેશનશિપના કન્ફર્મ ન્યૂઝ સામે આવી ચૂક્યા છે, ત્યારે ઘણા સ્ટાર્સના લગ્નના સમાચાર અત્યારે ચર્ચામાં છે. શનિવારે, રાજકુમાર રાવ અને પત્રલેખાએ વીંટી પહેરીને સગાઈ કરી હતી અને તેઓ 14 નવેમ્બરના રોજ લગ્ન કરશે એ સમાચાર પણ કન્ફર્મ થઈ ગયા હતા. બીજી તરફ, કેટરિના અને વિકીના લગ્નના સમાચાર પણ દરરોજ હેડલાઇન્સ બની રહ્યા છે.
રણબીર-આલિયા આ મહિને કરશે સગાઈ?
રણબીર અને આલિયાના લગ્નના સમાચાર પણ આવી રહ્યા છે. જો કે, જ્યાં પહેલા એવું કહેવામાં આવી રહ્યું હતું કે બંને આવતા વર્ષે લગ્ન કરવા જઈ રહ્યા છે, હવે સમાચાર આવી રહ્યા છે કે બ્રહ્માસ્ત્ર કપલ આ મહિને સગાઈ કરી શકે છે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો આલિયા અને રણબીર 29 નવેમ્બરે પરિવાર અને મિત્રો વચ્ચે સગાઈની વિધિ પૂરી કરી શકે છે. જો કે તેમની સગાઈના સમાચારની હજુ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
રાજસ્થાન લગ્ન સમારોહ માટે સેલેબ્સની પહેલી પસંદ
સૌથી મહત્વની વાત એ છે કે રણબીર આલિયા રાજસ્થાનમાં જ સગાઈ કરવાની યોજના બનાવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, કેટરિના કૈફ અને વિકી કૌશલના પણ રાજસ્થાનમાં લગ્ન કરવાના સમાચાર પણ આવી રહ્યા છે. આવી સ્થિતિમાં, એવું લાગે છે કે રાજસ્થાન લગ્ન સમારોહ માટે સેલેબ્સની પહેલી પસંદ બની ગયું છે.
કોરોના ન હોત તો કદાચ લગ્ન કરી લીધા હોત
હાલમાં જ રણબીર કપૂરને પાપારાઝી દ્વારા સ્પોટ કરવામાં આવ્યો હતો જ્યાં તેને લગ્ન વિશે પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ રણબીરે તેના પર કંઈ કહ્યું ન હતું. આ પહેલા રણબીરે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે જો કોરોના મહામારી ન આવી હોત તો કદાચ તેણે લગ્ન કરી લીધા હોત.
એવા પણ સમાચાર છે કે આદિત્ય સીલ પણ અનુષ્કા રંજન સાથે લગ્ન કરવા જઈ રહ્યો છે. બીજી તરફ, આલિયા અનુષ્કા રંજનની સારી મિત્ર છે. આવી સ્થિતિમાં, એવું કહેવામાં આવી રહ્યું છે કે તે તેના બેસ્ટ ફ્રેન્ડના લગ્નમાં પણ પરફોર્મન્સ આપશે અને રણબીર કપૂર પણ આમાં તેની સાથે હશે.
હાલમાં જ એક ચેટ સેશનમાં આલિયાએ ઘણા સવાલોના જવાબ આપ્યા હતા. આ સાથે તેને લગ્નનો સવાલ પૂછવામાં આવ્યો હતો, જેના પર આલિયાએ કહ્યું હતું કે, 'મને હજારો લોકો સવાલ પૂછે છે, જેમાં વધુ લોકો પૂછે છે કે હું ક્યારે લગ્ન કરી રહી છું.' આલિયાએ તેનો જવાબ અધવચ્ચે જ છોડી દીધો છે. એટલે કે અભિનેત્રી પોતાના લગ્ન પર અત્યારે વધુ બોલવા માંગતી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / કોંગ્રેસના ઉમેદવારોને 15 કરોડ આપીને..' VTV સાથેની ખાસ વાતમાં જુઓ શું શું બોલ્યા શક્તિસિંહ
surat
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
ધર્મ / હનુમાન દાદા આ 4 રાશિઓને બનાવશે ધનવાન, જન્મોત્સવ બાદ ઉઘડશે ભાગ્ય, રૂપિયે રમશો
Hanuman Jayanti 2024
IPL 2024 / વિરાટ કોહલી અને ગૌતમ ગંભીરના આ 'ગંભીર' વીડિયો પર વિશ્વાસ કરવો મુશ્કેલ, ગ્રાઉન્ડમાં ચર્ચા ખૂબ જામી
Gautam Gambhir
લોકસભા ચૂંટણી 2024 / હાર માને એ બીજા વડોદરાના તપનદાસ ગુપ્તા નહીં! છઠ્ઠીવાર નોંધાવી ઉમેદવારી,જાણો કોણ છે વ્યક્તિ
Tapandas Gupta
આદેશ / 'ફીનો ચાર્ટ નોટિસ બોર્ડ પર નહીં લગાવો તો...', ખાનગી શાળાઓ વિરૂદ્ધ અમદાવાદ DEOની લાલ આંખ
Ahmedabad news