આલિયા ભટ્ટ અને રણબીર કપૂરે ભલે અત્યાર સુધી તેના લગ્નને લઇને મૌન સાધ્યું હોય. પરંતુ બંનેના લગ્નને લઇને જે અપડેટ્સ સામે આવી રહ્યાં છે, તે ઈશારો કરી રહ્યાં છે કે આ સંબંધ માટે બંને પરિવારો વચ્ચે કઈક થઇ રહ્યું છે.
આલિયા ભટ્ટ લગ્ન પહેલા થઈ હાઉસ એરેસ્ટ?
7 ફેરા ફરતા પહેલા ઉપાડ્યુ આ મોટુ પગલું
પાપારાઝીથી પરેશાન આલિયા હવે ઘરમાં જ રહેશે
લગ્નની તારીખને લઇને મૂંઝવણ !
લગ્નની તારીખને લઇને મૂંઝવણ છે, કોઈ કહી રહ્યું છે કે 14 એપ્રિલે અથવા 16 એપ્રિલે લગ્ન થશે. હવે લગ્ન પહેલા આલિયા ભટ્ટે એવુ પગલુ ઉપાડ્યુ છે. ત્યારબાદ પ્રશંસકો માની રહ્યાં છે કે તે ટૂંક સમયમાં રણબીરની દુલ્હન બનશે. આલિયાએ લગ્ન સુધી પોતાને હાઉસ એરેસ્ટ કરી લીધી છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નને હવે થોડા દિવસ બચ્યા છે. લગ્ન પહેલ આલિયાએ પોતાને ઘરમાં બંધ કરી લીધી છે. જો તમે પણ વિચારી રહ્યાં છો કે આખરે આલિયાએ આ મોટું પગલુ ઉઠાવ્યું તો અમે તમને જણાવીએ કે આખરે મામલો શું છે.
બોલીવુડ હંગામાએ તેના રિપોર્ટમાં એક સૂત્રના હવાલા પરથી જાણકારી આપી છે કે આલિયા ભટ્ટ અત્યારે પાપારાઝીથી પરેશાન થઇ ગઇ છે. જુહૂમાં દરેક જગ્યાએ પાપારાઝી છે, જેણે આલિયા પર ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. લગ્ન સાથેના કોઈ પણ સવાલથી બચવા માટે આલિયાએ તેના લગ્ન સુધી પાપારાઝીથી સંપૂર્ણ રીતે દૂર રહેવાનો નિર્ણય કર્યો છે. આ જ કારણ છે કે તેમણે ખુદને હાઉસ એરેસ્ટ કરી લીધી છે. હવે જ્યા સુધી લગ્ન ના થાય ત્યાં સુધી તે ક્યાય આવશે પણ નહીં અને જશે પણ નહીં.
આલિયા-રણબીર લગ્ન બાદ આપશે ગ્રાન્ડ રિસેપ્શન
આલિયા અને રણબીરે લગ્નની તારીખને ગુપ્ત રાખવાનો નિર્ણય કર્યો છે. તેને ફક્ત પોતાના નજીકના લોકોની સાથે શેર કરી છે. આ જ કારણ છે કે લગ્નની તારીખ પર ખૂબ મૂંઝવણ છે. કહેવામાં આવ્યું છે કે આ લગ્નમાં બંને પરિવારોના અમુક ખાસ મહેમાનો સામેલ થશે. લગ્ન બાદ બંનેએ એક ગ્રાન્ડ રિસેપ્શન રાખ્યું છે, જેમાં બોલીવુડના તમામ સેલિબ્રિટીઓ ઉપસ્થિત રહેશે.