આજે અખાત્રીજનો તહેવાર છે અને સોનું ખરીદવાનું અને વિવાહ માટેનું ઉત્તમ મૂહૂર્ત છે. પરંતુ લૉકડાઉનના કારણે છેલ્લા એક મહિનાથી બધું બંધ છે. એવામાં જો તમે આ દિવસે ઘરે બેઠા સોનું ખરીદવા ઈચ્છો છો તો તમે ઓનલાઈન સોનું ખરીદી શકો છો.
અખાત્રીજનો પવિત્ર તહેવાર
સોનું-ચાંદી ખરીદવાનો ઉત્તમ અવસર
આ રીતે ઓનલાઈન સોનું ખરીદીને મેળવો ડિસ્કાઉન્ટ
અક્ષય તૃતીયા પર દર વર્ષે ઘરેણાંની દુકાન પર ગ્રાહકોનો ધસારો રહેતો હતો. પરંતુ આ વખતે કોરોના વાયરસના કહેરના કારણે દાગીનાની દુકાનો પર તાળા લટકી રહ્યા છે.
ઓનલાઈન બુક કરાવી લો તમારું સોનુ, આ સમયે મળશે ડિલિવરી
દેશની સૌથી મોટી રિટેલર જ્વેલરી બ્રાન્ડ વતી અક્ષય તૃતીયા પર સોનું ઓનલાઇન વેચવામાં આવી રહ્યું છે. આ માટે કંપનીઓએ એક અઠવાડિયા અગાઉથી તૈયારી શરૂ કરી દીધી હતી. તેથી તમે આજે ઘરે બેઠાં સોનું ખરીદી શકો છો, અને લૉકડાઉન ખુલતાં જ ઘરેણાંની ડિલિવરી ઉપલબ્ધ થશે.
આ શોરૂમથી કરો ઓનલાઈન ખરીદી
તમે ટાટા ગ્રુપની જ્વેલરી બ્રાન્ડ તનિષ્ક પાસેથી અક્ષય ત્રીજા પર જ્વેલરી ઓનલાઇન ખરીદી શકો છો. આ માટે કંપની ઓફર પણ કરી રહી છે. અક્ષય તૃતીયાની આ વિશેષ ઓફર 18 એપ્રિલથી શરૂ થઈ છે અને 27 એપ્રિલ સુધી ચાલશે. ઓફરમાં 25 ટકા મેકિંગ ચાર્જની છૂટ આપવામાં આવી રહી છે. આ ઓફરનો લાભ લેવા માટે, તમે કંપનીની વેબસાઇટ www.tanishq.co.in પર જઈ શકો છો. તનિષ્ક 4 મેથી સેવાઓ ફરી શરૂ કરવાની અને પછી ગ્રાહકોને ડિલિવરી શરૂ કરવાની આશા રાખે છે. કંપનીનું કહેવું છે કે પરિસ્થિતિ સામાન્ય થયા પછી ગ્રાહકો પાસે સ્ટોરમાંથી ઓર્ડર લેવાનો અથવા ઘરે ડિલિવરી મેળવવાનો વિકલ્પ રહેશે.
આ કંપનીએ પણ કરી છે ઓનલાઈન સુવિધા
કલ્યાણ જ્વેલર્સે અક્ષય તૃતીયા પર ઓનલાઇન જ્વેલરીનું વેચાણ પણ શરૂ કરી દીધું છે. હવે આભૂષણો ખરીદવા પર અક્ષય તૃતીયા દિવસને શુભ બનાવવા માટે તે દિવસે ઓનલાઇન ગોલ્ડ સર્ટિફિકેટ ગ્રાહકોને મોકલવામાં આવશે. અને પછી લોકડાઉન સમાપ્ત થતાંની સાથે જ ગ્રાહકને જ્વેલરી શોરૂમ અથવા જ્વેલરીમાંથી તેમના સરનામાં પર મોકલવામાં આવશે. અક્ષય તૃતીયા નિમિત્તે કંપનીએ 21 એપ્રિલથી જ્વેલરી વેચવાનું શરૂ કર્યું છે.