કોરોનાની બીજી લહેર મહારાષ્ટ્ર પર ભારે છે ત્યારે બોલીવૂડ તેની ઝપેટમાં આવી ગયુ છે. રણબીર કપૂર, કાર્તિક આર્યન, મનોજ બાજપેયી, આર.માધવન, આલિયા ભટ્ટ વગેરે પણ પોઝીટીવ આવ્યા છે. હવે અક્ષય કુમાર હોસ્પિટલમાં દાખલ થયો છે.
બૉલીવુડના એક્ટર અક્ષય કુમાર ઇન્ડસ્ટ્રીમાં સૌથી વ્યસ્ત એક્ટર્સમાંથી એક છે. 2020માં લાગેલા કોરોના લૉકડાઉન હટ્યા બાદથી અક્ષય સતત શૂટિંગ કરી રહ્યા છે. તેઓ પોતાની ફિલ્મોને સમયથી પૂર્ણ કરવામાં લાગ્યા છે. જોકે, હવે તેઓ પણ કોરોના વાયરસની ઝપેટમાં આવી ચૂક્યા છે. ખુદને ક્વોરન્ટાઇન કર્યા, ટ્વીટ કરીને માહિતી આપી છે. તેમણે સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવવાની સલાહ આપી છે.
આદિત્ય અને તેની પત્ની પણ પોઝીટીવ
રણબીર કપૂરથી શરૂ થયેલો સિલસીલો કાર્તિક આર્યન, આમિર ખાનથી લઇને આદિત્ય નારાયણ સુધી પહોંચ્યો છે. આદિત્યએ પોતાની પોસ્ટમાં લખ્યુ છે કે બધાને નમસ્કાર, દુર્ભાગ્યથી મારી પત્ની શ્વેતા અને હું કોવિડ પોઝીટીવ આવ્યા છીએ. સુરક્ષિત રહો અને પ્રોટોકોલનુ પાલન કરો અને અમારા માટે પ્રાર્થના કરો, આ સમય પણ વિતી જશે.
કોરોનાની વેક્સિન આવ્યા બાદ બોલીવૂડ ધીમે ધીમે પોતાના કામ તરફ વળી રહ્યુ હતુ. તેણે રફ્તાર પકડી અને શૂટિંગ શરૂ થઇ રહ્યાં હતા પરંતુ એક બાદ એક સ્ટાર કોરોનાની ઝપેટમાં આવી રહ્યાં છે. મહત્વનુ છે કે આદિત્ય નારાયણ 1 ડિસેમ્બર 2020ના રોજ શ્વેતા સાથે લગ્નના સંબંધમાં બંધાયો હતો. ધૂમ ધામથી આદિત્યએ પોતાની લોન્ગટાઇમ ગર્લફ્રેન્ડ શ્વેતા સાથે લગ્ન કર્યા હતા.