બોલિવુડ અભિનેતા અક્ષય કુમારની ચર્ચાનો વિષય બનેલી પૃથ્વીરાજ ફિલ્મને ગુજરાત સરકારે કરમુક્ત કરવાની જાહેરાત કરી છે.
બોલીવુડની ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ ગુજરાતમાં કરમુક્ત
CMનો ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજને કરમુક્ત કરવા નિર્ણય
CMOએ ટ્વિટ કરી આપી જાણકારી
ભારતના વીર સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની યશોગાથાને ઉજાગર કરતી પૃથ્વીરાજ ફિલ્મને ગુજરાતમાં કરમુક્ત કરવાની જાહેરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવી છે, રાજ્ય સરકારના આ નિર્ણયથી રાજ્ય સરકારની ફિલ્મ પ્રોત્સાહન નીતિના મળવાપાત્ર થતા લાભો મળશે. જણાવી દઈએ કે આ ફિલ્મ ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ અને હવે ગુજરાતમાં પણ આ ફિલ્મને કરમુક્ત કરવામાં આવી છે.
CMOએ ટ્વીટ કરીને આપી જાણકારી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારતભૂમિના વીર સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની શૌર્યગાથાને રજૂ કરી દેશના સાહસપૂર્ણ ઈતિહાસને ઉજાગર કરતી હિન્દી ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ' ને ગુજરાતમાં કરમુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ભારતભૂમિના વીર સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણની શૌર્યગાથાને રજૂ કરી દેશના સાહસપૂર્ણ ઈતિહાસને ઉજાગર કરતી હિન્દી ફિલ્મ 'સમ્રાટ પૃથ્વીરાજ' ને ગુજરાતમાં કરમુક્તિ આપવાનો નિર્ણય કર્યો છે.
આ ફિલ્મમાં અક્ષય કુમાર પૃથ્વીરાજ ચૌહાણનાં પાત્રમાં જોવા મળે છે. જ્યારે પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છીલ્લર રાજકુમારી સંજુકતાની ભૂમિકામાં જોવા મળે છે. આ ફિલ્મની સ્ટોરી સમ્રાટ પૃથ્વી રાજ ચૌહાણની લવ સ્ટોરી પર આધારિત હશે. આ ઉપરાંત, ફિલ્મનાં ટ્રેલરમાં 1191 અને 1192માં થયેલા પૃથ્વીરાજ ચૌહાણ અને મોહમ્મદ ઘોરી વચ્ચેનાં યુદ્ધની પણ ઝાંખીઓ જોવા મળે છે.
તાજેતરમાં નાયિકા દેવી ફિલ્મને પણ કરાઈ છે કરમુક્ત
ગુજરાતી ફિલ્મ નાયિકા દેવી ગુજરાતના સિનેમાગૃહો દ્વારા આ ફિલ્મ પ્રદર્શિત કરવા બદલ ચૂકવાયેલા કરનું વળતર તેમને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે.રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતી ચલચિત્ર નાયિકા દેવીને રાજ્ય સરકારની ફિલ્મ પ્રોત્સાહન નીતિના મળવાપાત્ર થતા લાભો આપવાની જાહેરાત કરી છે.