પ્રધાનમંત્રી મોદીને પહેલા કાર્યકાળમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રહેલ અજીત ડોભાલને લઇને મોટા સમાચાર સામે આવ્યાં છે. અજીત ડોભાલ મોદી સરકારનાં બીજા કાર્યકાળમાં પણ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બની રહેશે. આ સાથે જ તેઓને મોદી સરકારમાં કેબિનેટ મિનિસ્ટરનો દરજ્જો મળશે. અજીત ડોભાલને રાષ્ટ્રીય સુરક્ષા ક્ષેત્રમાં તેમનાં સારા કામ માટે મોદી સરકારમાં કેબિનેટ મંત્રીનો દરજ્જો મળ્યો છે. તેમની નિયુક્તિ પાંચ વર્ષ માટે કરવામાં આવી છે.
તમને જણાવી દઇએ કે પાકિસ્તાનનાં બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદનાં ઠેકાણાંઓ પર એર સ્ટ્રાઇક અજીત ડોભાલની દેખરેખ હેઠળ થઇ હતી. તેઓએ ખુદ પ્રધાનમંત્રી મોદીને આ અંગેની જાણકારી આપી હતી. તેઓ પાકિસ્તાન વિરૂદ્ધ સર્જિકલ સ્ટ્રાઇક દરમ્યાન પણ સૌથી વધારે ચર્ચામાં આવ્યા હતાં.
સપ્ટેમ્બર 2016માં પીઓકેમાં કરવામાં આવેલ સર્જીકલ સ્ટ્રાઇકમાં પણ અજીત ડોભાલની પણ મોટી ભૂમિકા રહી હતી. તેઓએ આ મિશન પહેલા સેનાનાં ત્રણેય ચીફ અને ખાનગી એજન્સીઓનાં હેડ સાથે અંતિમ મીટિંગ કરી હતી. મીટિંગમાં નક્કી કરાયું હતું કે મિશન અંતર્ગત એલઓસીને પેલે પાર આઠ આતંકી કેમ્પો પર હુમલો કરવામાં આવશે.
અજીત ડોભાલની ગણતરી દેશનાં સૌથી તાકાતવર નોકરશાહોમાં હોય છે. મોદી સરકારનાં પહેલા કાર્યકાળમાં તેઓએ NSA સિવાય રણનીતિક નીતિ સમૂહ (સ્ટ્રૈટિજિક પોલિસી ગ્રૂપ, SPG) સચિવ પણ બનાવી દેવાયા હતાં.
NSA Ajit Doval given Cabinet rank in Government of India in recognition of his contribution in the national security domain. His appointment will be for five years. pic.twitter.com/ZGrFXniUWF
ડોભાલ પાકિસ્તાનનાં લાહોરમાં પોતાનાં દેશની રક્ષા માટે 7 વર્ષ સુધી મુસલમાન બનીને રહ્યાં હતાં. તેઓએ ભારતનાં સૈન્ય સમ્માન કીર્તિ ચક્રથી સમ્માનિત કરવામાં આવ્યાં. આ સમ્માન મેળવનારા તેઓ પ્રથમ ઓફિસર હતાં.
1968 કેરલ બેચનાં IPS ઓફિસર અજીત ડોભાલ પોતાની નિયુક્તિનાં ચાર વર્ષ બાદ 1972માં ઇન્ટેલિજન્સ બ્યૂરો સાથે જોડાઇ ગયા હતાં. અજીત ડોભાલે કેરિયરમાં વધારે સમય ખાનગી વિભાગમાં જ કામ કર્યુ છે. કહેવામાં આવે છે કે તેઓ સાત વર્ષ સુધી પાકિસ્તાનમાં ખાનગી જાસૂસ રહ્યાં.
વર્ષ 1989માં અજીત ડોભાલે અમૃતસરનાં સ્વર્ણ મંદિરથી ચરમપંથીઓને નિકાળવા માટે 'ઓપેરશન બ્લૈક થંડર'નું નેતૃત્વ કર્યુ હતું. 30 મે, 2014નાં રોજ પ્રધાનમંત્રી મોદીએ અજીત ડોભાલને દેશનાં 5માં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારનાં રૂપમાં નિયુક્ત કર્યા.