એશ્વર્યા રાયને નોટિસ નાસિકના સિન્નરથી મોકલવામાં આવી છે. રિપોર્ટ્સ અનુસાર નાસિકના સિન્નરના અદવાડી શિવરાતમાં એક્ટ્રેસની જમીન છે. આ જમીનનો એક વર્ષનો ટેક્સ બાકી છે. જે 21,960 રૂપિયા છે.
એશ્વર્યાએ નથી ભર્યો જમીનની ટેક્સ
એક્ટ્રેસના ઘરે પહોંચી નોટિસ
21,960 રૂપિયાનો ટેક્સ છે બાકી
બોલિવુડની સુદર અને ટેલેન્ટેડ એક્ટ્રેસ એશ્વર્યા રાય બચ્ચન ટેક્સ ન ચુકવવાના મામલાને લઈને ચર્ચામાં છે. રિપોર્ટ્સ અનુસાર એશ્વર્યા રાય બચ્ચને તેની જમીન પર બાકી ટેક્સ જમા ન કરવાના કારણે નાસિકના સિન્નરથી નોટિસ મોકલવામાં આવી છે.
એશ્વર્યાને મોકલવામાં આવી નોટિસ
એશ્વર્યા રાયને નોટિસ સિન્નર વિસ્તારમાંથી મોકલવામાં આવી છે. રિપોર્ટ્સ અનુસાર નાસિકના સિન્નરના અદવાડી શિવરાતમાં એક્ટ્રેસની જમીન છે. આ જમીનનો એક વર્ષનો ટેક્સ બાકી છે. જે 21,960 રૂપિયા છે. આ એક્ટ્રેસે જમા નથી કર્યો.
આજ બાકી ટેક્સના કારણે અધિકારીએ એશ્વર્યા રાય વિરૂદ્ધ નોટિસ જાહેર કરી છે. નોટિસ 9 જાન્યુઆરીએ જાહેર કરવામાં આવી હતી અને એશ્વર્યા રાય બચ્ચનને તે મળી કે નહીં તેના વિશે કોઈ જાણકારી નથી.
એશ્વર્યાની પાસે આટલી છે જમીન
જણાવવામાં આવી રહ્યું છે કે એશ્વર્યાની પાસે સિન્નરના થાનગાંમની પાસે અદવાડીના પહાડી વિસ્તારમાં લગભગ 1 હેક્ટર જમીન છે. જાણકારી સામે આવી રહી છે કે એશ્વર્યાનો આ જમીન પર 1 વર્ષનો ટેક્સ બાકી છે. એશ્વર્યાની સાથે જ 1200 અન્ય સંપત્તિ માલિકોનોને પણ ટેક્સ બાકી હોવાની નોટિસ જાહેર કરવામાં આવી છે.
વિભાગ દ્વારા આ કાર્યવાહી માર્ચના અંત સુધી, વસુલીના લક્ષ્યને પુરો કરવા માટે કરવામાં આવે છે. કારણ કે માર્ચનો મહિનો વિભાગ માટે ક્લોઝિંગ મહિનો છે. જોકે એશ્વર્યાએ આ મામલે હજુ સુધી કોઈ રિએક્શન આપ્યું નથી.
એવું પણ જણાવવામાં આવી રહ્યું છે કે એશ્વર્યાએ પવન ઉર્જા ઉત્પાદન કરનાર કંપની સુઝલોનમાં રોકાણ કર્યું છે. એશ્વર્યા રાય બચ્ચનની સાથે સાથે ઘણી ફેમસ હસ્તિઓએ પણ પવન ઉર્જા કંપની સુઝલોનમાં રોકાણ કર્યું છે.