પુલવામા આતંકી હુમલા બાદ પાકિસ્તાન વિરુદ્ધ ભડકેલા આક્રોશની વચ્ચે શનિવારે દેશના તમામ એરપોર્ટને હાઇ એલર્ટ કરી દેવામાં આવ્યા છે. વાસ્તવમાં શનિવારે મુંબઇમાં એક એરલાયનના ઓપરેશન સેન્ટરને ફોન કરીને ધમકી આપવામાં આવી કે ભારતીય કરિયરની એક ફ્લાઇટને હાઇજેક કરી લેવામાં આવશે. ખાસ વાત એ છે કે ફોન કરનારે કહ્યું કે પ્લેનને હાઇજેક કરીને પાકિસ્તાન લઇ જવામાં આવશે. ત્યારબાદ તરત દેશના તમામ એરપોર્ટોની સુરક્ષા વધારે કડક કરી દેવામાં આવી, એમાં પ્લેનમાં સવાર થતા પહેલા યાત્રીઓની તલાશી અને કાર પાર્કિંગમાં જતી ગાડીઓની તપાસ પણ સામેલ છે.
શનિવારે ધમકી ભરેલો ફોન એર ઇન્ડિયાના એરપોર્ટ ઓપરેશન કંટ્રોલ સેન્ટરને આવ્યો. ફોન પર કહેવામાં આવ્યું કે એક ભારતીય એરલાયન્સની ફ્લાઇટને હાઇજેક કરીને પાકિસ્તાન લઇ જવામાં આવશે. શનિવારે ધમકી મળ્યા બાદ બ્યૂરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટીએ તમામ એરપોટો અને એરલાયન ઓપરેટરો માટે દિશા નિર્દેશ જારી કર્યા.
BCASએ કહ્યું છે કે ટર્મિનલ અને ઓપરેશન ક્ષેત્રોમાં જતા પહેલા કડક તપાસ કરવામાં આવે. એરપોર્ટ પર ગાડીઓની ઊઁડાણપૂર્વક તલાશી લેવામાં આવે. આ સાથે જ યાત્રીઓ, સ્ટાફર, સામાન, કેટરિંગ વગેરેની કડક તપાસ કરવામાં આવે. એરપોર્ટ પર પ્રવેશ દ્વાર પર તપાસ વધારવા માટેના નિર્દેશ આપવામાં આવ્યા છે.
જો કે આ ધમકી ભર્યો ફોન ખોટો અથવા કોઇની મસ્તી હોઇ શકે છે. પરંતુ સુરક્ષા એજન્સીઓ એને હળવાશમાં લેવા ઇચ્છતી નથી. એવામાં તેઓ સુરક્ષા વ્યવસ્થામાં કોઇ કસર છોડવા માંગતી નથી.