દિલ્હી-NCRમાં આજે પણ પ્રદૂષણના કારણે લોકોનું શ્વાસ લેવાનું મુશ્કેલ બન્યું છે. દિલ્હીના અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ AQI 700ને પાર પહોંચી ગયો છે.
દિલ્હી-NCRમાં આજે પણ પ્રદૂષણનો કહેર
10 સૌથી પ્રદૂષિત શહેરોમાં 9 દિલ્હીના છે
આજે દિલ્હીમાં ઓડ-ઈવનનો છેલ્લો દિવસ
ઓડ ઈવનનો આજે છેલ્લો દિવસ, 2 દિવસથી શાળાઓ પણ છે બંધ
પ્રદૂષણને કારણે દિલ્હી-એનસીઆર હજુ ખરાબ સ્થિતિમાં છે. દિલ્હીના ઘણા વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ એટલે કે AQI 700ને પાર પહોંચ્યું છે. દ્વારકામાં, AQI 900ને વટાવી ચૂક્યું છે. સૌથી પ્રદૂષિત 10 માંથી 9 વિસ્તારો દિલ્હીના છે. નોઇડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામમાં પણ આવી જ સ્થિતિ છે. અહીં આજે દિલ્હીમાં ઓડ-ઈવનનો પણ છેલ્લો દિવસ છે. નવેમ્બરથી તેની શરૂઆત કરવામાં આવી હતી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે જરૂર પડે તો તેમાં વધારો કરી શકાય છે. બીજી તરફ, દિલ્હી-એનસીઆરની શાળાઓ હજી પણ પ્રદૂષણને કારણે બંધ છે. દિલ્હીના દ્વારકા, પૂસા રોડ, રોહિણી, સરસ્વતી કોલેજ જેવા વિસ્તારોમાં સૌથી વધારે પ્રદૂષણ જોવા મળી રહ્યું છે.
સફરે કહી આ વાત
પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની હવાની ગુણવત્તાવાળું વોચડોગ 'સફર' કહે છે કે શુક્રવારે નવીન પશ્ચિમી ખલેલને કારણે પવનની વધતી ગતિને કારણે દિલ્હીમાં પ્રદૂષણની સ્થિતિમાં સુધારો થવાની સંભાવના છે. સફરે માહિતી આપી છે કે મંગળવારે દિલ્હીના પાડોશી રાજ્યોમાં માત્ર 480 જેટલી પરાલી સળગાવવાની ઘટના નોંધાઈ છે. સફરે જણાવ્યું છે કે અફઘાનિસ્તાન અને પડઓશી રાજ્યો પર ચક્રાવાતી તૂફાનના કારણે નવેસરથી પશ્ચિમ વિક્ષોભ બની રહ્યો છે. આવનારા 2 દિવસમાં તેની અસર ઉત્તર પશ્ચિમી ભારત પર પડશે અને તેનાથી શુક્રવાર સુધી હવાની ગતિ વધશે.
16 નવેમ્બર સુધીમાં સુધાર આવવાની શક્યતા
સફરે કહ્યું છે કે દિલ્હી અને અને આસપાસના વિસ્તારોમાં પરાલી સળગાવવાના કારણે હવામાં પ્રદૂષણ વધ્યું છે. લોકો ચોખ્ખી હવા માટે તરસી રહ્યા છે. સફરના જણાવ્યા અનુસાર હાલની ખરાબ હવા 16 નવેમ્બર સુધીમાં સુધરે તેવા ચાન્સ છે. પ્રદૂષણ વધવાના કારણે 15 દિવસમાં 3 વાર દિલ્હી ભયજનક સ્થિતિમાં પહોંચ્યું હતું.