WHOએ ચેતવણી આપી હતી કે ફેબ્રુઆરી સુધીમાં કોરોનાને કારણે 5 લાખ લોકોના મોત થશે. આ મામલે એઈમ્સના તબીબે WHOની ચેતવણી નકારતા કહ્યું કે ભારતમાં ત્રીજી લહેરની આશંકા નહીવત છે.
ત્રીજી લહેરને લઈને એઈમ્સના તબીબનું મોટું નિવેદન
કહ્યું ભારતમાં ત્રીજી લહેરની આશંકા નહીવત
WHOની ચેતવણી પણ એઈમ્સના તબીબે નકારી
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન દ્વારા કોરોનાની ત્રીજી લહેરને લઈને ચેતવણી આપવામાં આવી છે. પરંતુ આ ચેતવણીની સામે એઈમ્સના ડૉક્ટર દ્વારા એવું નિવેદન આપવામાં આવ્યું છે કે ભારતમાં પહેલાથી મોટી સંખ્યામાં લોકો સંક્રમણનો ભોગ બની ચુક્યા છે. જેથી હવે દેશમાં ત્રીજી લહેરની સંભવના નહીવત પ્રમાણ છે.
WHOની ચેતવણી નકારી
WHOએ અગાઉ યુરોપ અને મધ્ય એશિયામાં કોરોનાની લહેરની લઈને ચેતવણી આપી હતી. જેમા તેમણે કહ્યું હતું કે ફેબ્રુઆરી 2022 સુધીમાં 5 લાખ લોકોના મોત થશે. આ મામલે એઈમ્સના તીબબ દ્વારા કહેવામાં આવ્યું કે ભારતમાં પહેલાથી મોટી સંખ્યામાં લોકો સંક્રમણનો ભોગ બની ચુક્યા છે.
વેક્સિનેશનને કારણે મોતના આકડા ઓછા થયા
વધુમાં એઈમ્સના ડોક્ટરે કહ્યું કે પ્રાકૃતિક સંક્રમણથી પ્રાકૃતિક પ્રતિરક્ષા થાય છે. જેના કારણે સંક્રમણની સંખ્યામાં ઘટાડો થાય છે. સાથેજ તેમણે કહ્યું કે વેક્સિનેશનને કારણે પણ રોગની ગંભીરતા અને મોતના આકડાઓ ઓછા થાય છે.
કેસ વધ્યા બાદ ઝડપથી ઘટ્યા પણ છે
રશિયા અને મધ્ય એશિયા પર તેમણે કહ્યું કે ત્યા કેસ વધ્યા છે પરંતુ ફેબ્રુઆરી સુધીમાં ઓછા થઈ જશે. સાથેજ તેમણે કહ્યું ભારત સિવાય બીજી ઘણી બધી જગ્યા એવી છે જ્યા કેસ વધ્યા છે અને બાદમાં ઝડપથી કેસો ઘડ્યા પણ છે. સમગ્ર મામલે WHOની ચેતવણીને નકારતા તેમણે કહ્યું કે વૈશ્વિક સ્તરે WHO તેની વિશ્વાસનીયતા ગુમાવી રહ્યું છે.
WHO આપી રહ્યું છે વિવાદસ્પદ નિવેદન: એઈમ્સના ડૉક્ટર
ઉલ્લેખનીય છે કે સમગ્ર મામલે એઈમ્સના ડૉક્ટરે એવું પણ કહ્યું કે WHO વિવાદસ્પ નિવેદન આપી રહ્યું છે. સાથેજ તેમણે કહ્યું કે તેઓ COVID-19ની ઉત્પત્તી શોધવા પણ સક્ષમ નથી. ઉપરાંત તેમણે એવું પણ કહ્યું કે WHOને એ વાત સમજવામાં દોઢ વર્ષ કરતા પણ વધારે સમય લાગ્યો કે પ્રાકૃતિક સંક્રમણ લોકોને સુરક્ષા આપે છે. જોકે હજુ પણ તેઓ તેને અધિક મહત્વ નથી આપી રહ્યા