દિલ્હીની એમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરિયાએ એવુ જણાવ્યું કે સમયસર રસી લેવાથી અને જરુરી માત્રામાં દવા લેવાથી કોરોનાનો ફેલાવો અટકી શકે છે.
સમયસર વેક્સિન અને દવા લેવાથી કોરોના ફેલાતો અટકી શકે છે.
વેક્સિન લેવામાં ઉતાવળ કરે કે સમય પહેલા પણ ન લેવી
કોરોનાના દર્દીઓ માટે સ્ટીરોઈડ્સ ઘાતક
સ્ટીરોડયડ્સ લેનાર કોરોનાના દર્દીઓનો મૃત્યુદર ઘણો વધારે
ગુલેરિયાએ જણાવ્યું કે જો કોઈ વેક્સિન લેવામાં ઉતાવળ કરે અથવા તો સમય પહેલા વેક્સિન લેય આવી બન્ને સ્થિતિમાં નુકશાન થઈ શકે છે.
વધારે પ્રમાણમાં વેક્સિનનો ડોઝ લેવાથી પણ દર્દીનુ મોત થઈ શકે છે. કોરોના મેનેજમેન્ટ માટે આ ચીજ મહત્વની છે. દવા અને દવા આપવાનો સમય.
ગુલેરિયાએ જણાવ્યું કે રિકવરી ટ્રાયલથી જાણકારી મળી છે કે કોરોના દર્દીઓ માટે સ્ટીરોયડ્સ વધારે ફાયદાકારક છે. ઓક્સિજન ઓછો થતા પહેલા આપવાની નુકશાન થઈ શકે છે. સ્ટીરોડયડ્સ લેનાર કોરોનાના દર્દીઓનો મૃત્યુદર ઘણો વધારે છે.
કોરોનાગ્રસ્ત જો છીંક ખાય તો કણકણ સ્વરૂપે ફેલાય છે કોરોના
સેન્ટર ફોર સેલુલર મોલિકુલર બાયોલોજી (CCMB) હૈદરાબાદના સેન્ટરના ડિરેક્ટર ડો.રાકેશ કે. મિશ્રાએ જણાવ્યું હતું કે, ઉનાળાની ઋતુમાં શ્વાસ ઝડપથી બાષ્પીભવન થાય છે. આવી સ્થિતિમાં, જ્યારે કોરોનાગ્રસ્ત વ્યક્તિ શ્વાસ બહાર કાઢે છે, ત્યારે વાયરસ નાના કણોમાં વહેંચાય છે. વાયરસના નાના કણો શ્વાસ સાથેના સ્પ્રેની જેમ ઝડપથી બહાર આવે છે. પછી લાંબા સમય સુધી હવામાં રહે છે. જો કોઈ વ્યક્તિ માસ્ક વિના તે સ્થળે પહોંચે છે, તો પછી તેને ચેપ લાગવાની સંભાવના વધી જાય છે છે. જોકે ખુલ્લા વાતાવરણમાં ચેપનું જોખમ ઓછું છે, પરંતુ જો કોઈ ચેપગ્રસ્ત વ્યક્તિ કોઈ હોલ, ઓરડા, લિફ્ટ વગેરેમાં છીંક ખાય છે, તો ચેપ લાગવાની સંભાવના ઘણી વધારે છે.
શું હવાથી ફેલાય છે કોરોના?
ના. CCMBના પૂર્વ ડાયરેક્ટર ડો.સીએચ મોહન રાવના જણાવ્યા પ્રમાણે, વાયરસ હવાથી પણ ફેલાઇ રહ્યો છે. પરંતુ હવાથી નથી ફેલાતો. ઉદાહરણ તરીકે સંક્રમિત વ્યક્તિ ઉધરસ ખાય છે તો 2-3 મીટરના વિસ્તારમાં રહેલ વ્યક્તિ સંક્રમિત થઇ શકે છે પરંતુ વાયરસ ભોપાલ કાંડની જેમ નથી કે, પછી ગેસ હવાના પ્રવાહ દ્વારા ફેલાય છે. જો કે, વાયરસ આવી રીતે મુસાફરી કરતો નથી.
હવામાં વાયરસ કેટલાક કલાકો સુધી રહી શકે છે જીવંત?
ગરમીમાં કારણ કે, શ્વાસની સાથે નીકળેલા કણ ખૂબ જ નાના હોય છે, માટે શિયાળાના મુકાબલે તેઓ વધુ લાંબો સમય સુધી હવામાં રહેશે. તડકામાં તે ઝડપથી ખતમ થઇ જાય છે. પરંતુ ઘરમાં અંદર વાયરસ હવામાં 2 કલાક સુધી રહે છે. માટે ક્રોસ વેન્ટિલેશન ખૂબ જ જરૂરી છે.