ભારતમાં કોરોના વાયરસનો પ્રકોપ ફરી એક વખત જોવા મળી રહ્યો છે. દેશમાં દરરોજ કોરોનાના રેકૉર્ડ કેસ નોંધાઇ રહ્યા છે. જેણે તંત્રની ચિંતા વધારી છે. કોરોના સામે લડવા માટે કેટલાક પગલા ભરવામાં આવી રહ્યા છે.
કોરોના વાયરસની બીજી લહેર
AIIMSના ડૉક્ટર ગુલેરિયાએ કહ્યું- બ્રિટેન જેવી છે પરિસ્થિતિ
એવું કંઇક છે જે વાયરસને વધુ સંક્રામક બનાવે છેઃ ગુલેરિયા
કોરોના વાયરસ પર વાત કરતા એઇમ્સના ચીફ રણદીપ ગુલેરિયાએ કહ્યું કે, દેશમાં કોરોનાના કેસમાં આવી રહેલા ઉછાળા પાછળનું કારણ નવો સ્ટ્રેન છે. તેમણે કહ્યું કે પરિસ્થિતિ બ્રિટેન જેવી છે. ક્રિસમસ દરમિયાન બ્રિટેન પણ વાયરસના મ્યૂટેશન દોરથી પસાર થઇ રહ્યો હતો.
એવું કંઇક છે જે વાયરસને વધુ સંક્રામક બનાવે છે
જણાવી દઇએ કે, ડૉ. રણદીપ ગુલેરિયાએ એક ખાનગી ચેનલ સાથે વાતચીતમાં કહ્યું કે, હોળીની આસપાસ દેશમાં કોરોનાના કેસમાં ઉછાલો જોવા મળી રહ્યો છે કારણે કે એવી જ પરિસ્થિતિ ફરી જોવા મળી રહી છે. તેમણે એમ પણ કહ્યું કે, બની શકે કે કોઇ એવો વેરિએન્ટ હોય જે વાયરસને વધુ સંક્રામક બનાવી રહ્યો હોય. આ વાતને સાબિત કરવા માટે ડેટા નથી એનો મતલબ એ નથી કે આ વાતના પૂરાવા નથી કે કેસમાં આવી રહેલો ઉછાળો કોરોના વાયરસ મ્યૂટેશનથી સંબંધિત છે.
ડૉક્ટર ગુલેરિયાએ વધુમાં કહ્યું કે, તાર્કિક રીતે આની સંપૂર્ણ સંભાવના છે કે કેસમાં આવેલા અચાનક વધારા પાછળ એવું કંઇક જરૂર છે જે વાયરસને સંક્રામક બનાવી રહ્યુ છે.
વેક્સિનેશનને લઇને તેમણે કહ્યું કે, વેક્સિનની સાથે આપણે લોકો સુધી પહોંચવાની જરૂરિયાત છે. એવી રણનીતિ તૈયાર કરવાની જેમાં આપણે લોકો સુધી પહોંચી શકીએ અને તેમને રસી આપી શકીએ. પરંતુ એવી સ્થિતિમાં આપણે વેક્સિનના દરેક આડઅસર પર ધ્યાન રાખવાની જરૂરિયાત હશે.
બાળકો માટે પણ વેક્સિનની છે જરૂરિયાત
ડૉક્ટર ગુલેરિયાએ જણાવ્યું કે, ભારતમાં વેક્સિન બનાવનારી સીરમ ઇન્સ્ટીટ્યૂટ અને ભારત બાયોટેક હવે એવો ડોઝ બનાવવા પર વિચાર કરી રહ્યું છે જે બાળકો માટે પણ ઉપયોગ કરી શકાય. જો આપણે આ મહામારીને કાબૂમાં લેવા માંગીએ છીએ તો આપણે તેની રસીની જરૂરિયાત છે જે બાળકો માટે હોય, ત્યારે બાળકોને શાળાએ મોકલી શકાશે.