રોકેટ્રી ફિલ્મના પ્રમોશને લઈને આર. માધવન અમદાવાદ ખાતે આવ્યા હતા. જ્યાં તેમણે VTV ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી.
ફિલ્મ રોકેટ્રીના પ્રમોશન માટે અમદાવાદમાં
જાણીતા વૈજ્ઞાનિકના જીવન પર ફિલ્મ
વૈજ્ઞાનિક નામ્બી નારાયણના સંઘર્ષની કહાની
જાણીતા ફિલ્મ એક્ટર આર.માધવન પોતાની અપકમિંગ ફિલ્મ રોકેટ્રીના પ્રમોશન માટે અમદાવાદ આવી પહોંચ્યા હતા. મુલાકાત સમયે તેઓએ 1 જુલાઈએ રજુ થનારી પોતાની ફિલ્મ રોકેટ્રી વિશે VTV સાથે વાત કરતા કહ્યું કે આ ફિલ્મમાં દેશના જાણીતા ઈસરોના વૈજ્ઞાનિક અને એરોસ્પેસ એન્જિનિયર નામ્બી નારાયણના જીવન સંઘર્ષની કહાની છે. જેઓ જાસૂસી કેસમાં ફસાયા હતા અને ઘણા વર્ષો સુધી સામાજિક ઉત્પીડનનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે આવું કોઇ પણ દેશના વૈજ્ઞાનિક સાથે ન થાય તેમજ આ ફિલ્મમાં નારાયણને તેઓએ ન્યાય આપવાનો પ્રયાસ કર્યા છે.
વૈજ્ઞાનિક નામ્બી નારાયણની સંઘર્ષ કહાની પર બનાવાઇ ફિલ્મ
આગમી 1 જુલાઈએ રથયાત્રા પણ છે સાથે આ પાવન દિવસે રોકેટ્રી ફિલ્મ રિલીઝ થઇ રહી છે. જાણીતા વૈજ્ઞાનિક નામ્બી નારાયણના જીવન સંઘર્ષ કહાની પર ફિલ્મ રોકેટ્રી બનવામાં આવેલી છે. આ વૈજ્ઞાનિક નામ્બી નારાયણ વિષે મોટા ભાગના લોકો જાણતા હશે. પરંતુ તેના જીવનના સંઘર્ષ અને અંદરની વાત બહુ ઓછા લોકો જાણે છે ત્યારે આ અંગે આર. મધવને vtv ન્યૂઝ સાથેની વાતચીતમાં જણાવ્યુ હતું કે વૈજ્ઞાનિક નામ્બી નારાયણ વિષે ન જાણવું તે પણ દેશ સાથે અપરાધજનક કૃત્યથી ઓછું નથી. કારણ કે, નામ્બી નારાયણ સહિત દેશના ઘણા એવા મહાન વ્યકતીઓ છે જેમણે દેશ માટે બહુ જ આપ્યું છે. વધુમાં 'કોઇ પણ દેશ મહાન નથી રહી શકતો જયા સુધી દેશને મહાન બનાવવા વાળાની કદર કરવામાં ન આવે'. તો આ લાઇનમાંથી પ્રેરણા મેળવી તેઓએ રોકેટ્રી ફિલ્મનું નિર્માણ કર્યું હોવાનું ઉમેર્યું હતું.
વધુમાં આર.માધવને જણાવ્યુ હતું કે, રથયાત્રા હોવા છતાં તેમની ફિલ્મ ધૂમ મચાવશે અને લોકોને પણ આખા અલગ જ મુદ્દા પર બનેલી ફિલ્મ જોવા અનુરોધ કર્યો હતો અને લોકોને નવું જાણવા મળશે તેવી અંતમાં આર.માધવને ખાતરી આપી હતી.