કોરોનાકાળ દરમિયાન અમદાવાદ વી. એસ. હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. જેમાં પોસ્ટોમોર્ટમ રુમમાંથી દર્દીનો મૃતદેહ ગાયબ થયો હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે. 65 વર્ષીય લેખાબેન ચંદનું 11 નવેમ્બરના રોજ હાર્ટ એટેકથી મૃત્યું થયું જેમનો મૃતદેહ ગાયબ થયો.
અમદાવાદની વી.એસ. હોસ્પિટલની વધુ એક બેદરકારી
પોસ્ટમોર્ટમ રૂમમાંથી દર્દીનો મૃતદેહ થયો ગાયબ
મૃતદેહની અદલા બદલી થઈ હોવાની પણ શક્યતા
અમદાવાદની વીએસ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં સપડાઇ છે. પ્રાપ્ત મળતી વિગત અનુસાર વી.એસ. હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રુમમાંથી દર્દીનો મૃતદેહ ગાયબ થઇ ગયો હોવાના અહેવાલ સામે આવ્યાં છે.
સૂત્રોના જણાવ્યાં મુજબ વીએસ હોસ્પિટલમાં 11 નવેમ્બરના રોજ લેખાબેન નામના દર્દીનું હાર્ટ એટેકથી મૃત્યું થયું હતું. મૃત્યું થયા બાદ મૃતદેહને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો. જ્યાં મૃતદેહ ગાયબ થઇ જતાં પરિવારજનોમાં રોષ જોવા મળ્યો છે.
વીએસ હોસ્પિટલમાંથી મૃતદેહ ગાયબ થઇ જતાં પરિવારજનોને મૃતદેહ અદલાબદલી થઇ હોવાની પણ શક્યતા લાગી છે. જો કે આ મામલે પરિવારજ તરફથી પોલીસ ફરિયાદ નોંધાવતા એલિસબ્રિજ પોલીસે હાલ આ મામલે તપાસ હાથ ધરી છે.
અમદાવાદની વી. એસ. હોસ્પિટલમાંથી મૃતદેહ ગાયબ થયો હોવાના આક્ષેપ મામલે પોલીસનું નિવેદન સામે આવ્યું છે. પોલીસના જણાવ્યાં અનુસાર હાલ અંગે તપાસ ચાલી રહી છે. બેદરકારી જણાશે તો ફરિયાદ નોધીશું. આ સાથે RMO સહિતના સ્ટાફની પૂછપરછ ચાલું છે.
સળગતા સવાલ
હોસ્પિટલમાંથી મૃતદેહ ગાયબ કેવી રીતે થઈ શકે?
વી.એસ. હોસ્પિટલનું તંત્ર શું કરી રહ્યું હતું?
મૃતદેહ અદલા બદલી થયો હોય તો કાર્યવાહી થશે?
અગાઉ પણ વી.એસ. હોસ્પિટલમાં મૃતદેહની અદલા બદલી થઈ હતી
હોસ્પિટલમાં ક્યાં સુધી મૃતદેહ ગાયબ થતાં રહેશે?
અગાઉની ભૂલ બાદ પણ હોસ્પિટલ તંત્ર કેમ નથી લેતું શીખ?
મૃતદેહ પરત સોંપનાર કર્મચારી કે જવાબદાર વિરુદ્ધ એક્શન લેવાશે?
પરિવારજનોને સ્વજનનો મૃતદેહ ક્યારે પરત મળશે?
આટલી ગંભીર બેદરકારી હોવા છતાં હજુ સુધી તંત્ર શું કરી રહ્યું છે?