ઠેર ઠેર ભૂવારાજ, કરોડોના પ્લાન ગયા પાણીમાં જનતા માગે છે જવાબ, નેતાઓની મિલીભગતનું પરિણામ!
આ ખાડા જીવ લેશે!
ખાડાનગરીમાં સ્વાગત છે!
પ્રજાના પૈસાનો વેડફાટ
જો તમે અમદાવાદની મુલાકાત લેવાના હોય તો જરા ટાળી દેજો. કેમ જે મેટ્રો સિટીથી તમે આકર્ષાઈ રહ્યા છો. એના હાલ ખાડાનગરી જેવા થઈ ગયા છે. હાલ અમદાવાદમાં ખાડા સિવાય કંઈ નહીં જોવા મળે. અને આ બધું થયું છે. બેદરકારીના કારણે. કોણ છે બેદરકાર એ તો તમે સમજી જ ગયા હશો.
તંત્રની પોલ ખોલતો વરસાદ
જો તમે અમદાવાદ આવવાનું વિચારી રહ્યા હોય તો ખાડાનગરીમાં તમારું સ્વાગત છે. ખાડાનગરી શબ્દ સાંભળીને વિચારમાં ન પડતા. કેમ કે સ્માર્ટ સિટી અમદાવાદની સ્થિતિ હાલ કંઈક આવી જ છે. અમદાવાદમાં પ્રિ-મોન્સૂન પ્લાન પાછળ કરોડો રૂપિયાનો ધૂમાડો કર્યા બાદ પણ અમદાવાદવાસીઓને મળ્યા છે માત્ર ખાડા. ગત રવિવારે અમદાવાદમાં પડેલા ધોધમાર વરસાદે AMCના સત્તાધિશો અને કોન્ટ્રાક્ટરોની મિલિભગત ખુલ્લી પાડી દીધી. 12 ઈંચ વરસાદમાં અમદાવાદ પાણી-પાણી થઈ ગયું. પાણીનો સમયસર નિકાલ તો ન થયો પણ શહેરના માર્ગો પર અનેક ભૂવા પડી ગયા. અને આ ભૂવા પડયાને 6 દિવસ પણ પૂર્ણ થયા છે છતાં AMC હજુ સુધી ખાડા પુરવાની કામગીરી પૂર્ણ નથી કરી શક્યું.
સ્માર્ટ સિટી નહીં આ છે `ખાડાનગરી'
પ્રિમોનસૂન પાછળ AMC દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચે છે. છતાં એ વાત નથી સમજાતી કે આખરે શહેરમાં પાણી ભરાવાની સમસ્યા કેોમ સર્જાય છે. અને વરસાદ આવતાં જ રોડ બેસી કેમ જાય છે. શહેરમાં કર્ણાવતી ક્લબ, વેજલપુર, મેમનગર, રિંગરોડ પર ખાડા જ ખાડા દેખાઈ રહ્યા છે. આ ખાડા ક્યારે પુરાશે તે તો તંત્ર જ જાણે પણ આ ખાડાઓના વાંકે જનતા પરેશાન થઈ રહી છે. બાપુનગર વિસ્તારના આ દ્રશ્ય જુઓ. પ્રિમોન્સૂનની કામગીરી જે સ્થળે થઈ હતી ત્યાં મસમોટા ખાડા પડયા છે. જેને પગલે સ્થાનિક લોકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ હાલાકી પડી રહી છે વિરાટનગરમાં. જ્યાં આખો રોડ જ બિસ્માર હાલતમાં છે.
કોન્ટ્રાક્ટરોની નબળી કામગીરી
પ્રજા ટેક્સ તો ભરે પણ છે પણ તંત્ર સારી સુવિધા આપવામાં નિષ્ફળ રહ્યું છે. ક્યાંક રોડના કામ અધૂરા પડયા છે. ક્યાંક ખાડાનું કામ બાકી છે. તો ક્યાંક ખાડાનું રિપેશરગ કામ પણ હાથ ધરાયું નથી આ સ્થિતિ આખા અમદાવાદની છે. સ્થિતિ એ છે કે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નિવાસસ્થાન પાસે જ મસમોટો ભૂવો પડયો છે. 11 તારીખથી પડેલા ભૂવાનું કામ હજુ સુધી પૂર્ણ થયું નથી. જે AMCની ઢીલી કામગીરીને દર્શાવે છે. ત્યારે સવાલ એ છે કે આખરે અમદાવાદમાં પડેલા મસમોટા ભૂવાઓ ક્યારે પુરાશે?