કોરોના વાયરસના લોકડાઉનને લઈને અમદાવાદ પોલીસે 2300થી વધુ લોકોની ધરપકડ કરી હતી. ડ્રોન અને સીસીટીવી ફુટેજના આધારે ગુનો નોંધ્યા છે. ત્યારે હાલ અમદાવાદ પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. લોકડાઉનમાં ઘરની બહાર નહિ નીકળવાનો આદેશ કર્યો છે.
અમદાવાદ પોલીસની કડક કાર્યવાહી
2300થી વધુ લોકોની ધરપકડ
લોકોને ઘરની બહાર ન નીકળવાનો આદેશ
અમદાવાદમાં કોરોના વાયરસને લઈને લોકડાઉનને લઈને અમદાવાદ પોલીસે કડક કાર્યવાહી કરી છે. લોકડાઉનના 9માં દિવસે પોલીસે 842 ગુના નોંધીને 2400થી વધુ લોકોની ધરપકડ કરી હતી. એટલુ જ નહીં લોકડાઉનનો કડક અમલ કરાવવા એપિડેમીક ડિસિસ એક્ટ મુજબ 60 ગુના અને 82 લોકોની ધરપકડ કરી છે. ડ્રોનની મદદથી પણ કેસો થયા છે. 8 ડ્રોનથી 8 ગુના અને 39 લોકોની ધરપકડ કરી છે. સીસીટીવી મારફતે પણ કેસો કરવામાં આવી રહ્યા છે. 100 નંબર પર 264 જેટલા કોલ આવ્યા હતા. જ્યારે 144 જાહેરનામાના ભંગ બદલ 779 ગુના નોંધીને 2300 લોકોની ધરપકડ કરી છે. તો નિઝામુદ્દીન મકરઝને લઈને સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટ અને પોલીસના લેટરને લઈને ક્રાઈમ બ્રાંચને તપાસ સોંપવામા આવી છે.
પોલીસનો માનવતારૂપી ચહેરો
એક બાજુ અમદાવાદ પોલીસ સખ્તાઈ અપનાવી રહી છે તો બીજી બાજુ પોલીસ માનવતારૂપી સેવા કાર્ય પણ કરી રહી છે. અમદાવાદ પોલીસે સીનીયર સીટીઝનનુ રજીસ્ટ્રેશન કર્યુ છે. પોલીસની એક ટીમ આ વૃદ્ધ વ્યકિતઓની દરરોજ મુલાકાત લે છે. તેમને દવા, શાકભાજી અને કરીયાણુ પહોંચાડી રહી છે. આ ઉપરાંત પોલીસકર્મીઓનું રોજનું મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે. જે પોલીસકર્મીની તબિયત સારી ન હોય તેમને રજા પણ આપવામાં આવી રહી છે.
80 ટકા અમદાવાદ પોલીસ લોકડાઉનમાં ખડેપગે
એટલુ જ નહિ 80 ટકા અમદાવાદ પોલીસ લોકડાઉનમાં ખડેપગે છે. જેમા ક્વોરન્ટીન થયેલા 6 સ્થળ અને 3 આઇસોલેશન સેન્ટર પર 1 PSI અને 4 લોકોનો બંદોબસ્ત રખાયો છે. 2400 લોકો હાલમાં હોમ ક્વોરન્ટીનમાં છે. ચેકપોસ્ટ, શાકભાજી, ભીડભાડ થાય તેવી જગ્યા પર પોલીસ હોય છે. 750 અનાજ વિતરણના સેન્ટર છે જ્યાં TRB જવાન અને હોમગાર્ડ રાખવામાં આવ્યા છે.
લોકડાઉનનું કડક પાલન કરાવતા પોલીસ જવાનનુ મેડીકલ તપાસ પણ કરવામા આવે છે. જે પોલીસ જવાનની તબિયત ખરાબ હોય તેને રજા પણ આપવામા આવે છે. એટલુ જ નહિ લોકડાઉનમા નિઝામુદ્દીન મકરઝને લઈને સોસીયલ મિડીયા પર વાયરલ થયેલી પોસ્ટ અને પોલીસના લેટરને લઈને ક્રાઈમ બ્રાંચને તપાસ સોપવામા આવી છે.