દિવસેને દિવસેને કોરોના સંકટ ઘેરાઇ રહ્યું છે અને રાજકીય પક્ષ ભાજપ-કોંગ્રેસ દ્વારા રેલીના આયોજનો કરીને શક્તિ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. ખૂદ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દો ગજકી દૂરીની વાત કરી છે પરંતુ તેમની આ વાતોને નેવે મુકીને ભાજપ-કોંગ્રેસ મોટા તાયફા કરી રહ્યા છે.
અમદાવાદમાં કોરોનાનાં કહેરને લઈ AMC હરકતમાં
ચા ની કિટલીઓ પર સોલિડ વેસ્ટ વિભાગની તવાઈ
ભીડ એકઠી થતા ચાની કિટલીઓ કરવામાં આવી બંધ
જો કે, આવા રાજકીય મેળાવડા ઉપર મીઠી નજર રાખનારી AMC પોતાની બહાદૂરી દેખાડવા માટે ચા વેચીને પેટીયું રડતા લોકો પર તવાઇ બોલાવી રહી છે. ત્યારે સવાલ એ થાય છે કે, આવા રાજકીય મેળાવડા કરતા લોકો પર રહેમ નજર કેમ રાખવામાં આવી રહી છે?
સામાજિક અંતરના નામે ઝુલમ
પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, છેલ્લા 2 દિવસથી અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 2 દિવસથી માંડ પેટીયું રળતા ચા વાળાઓ પર ધોંસ બોલાવી રહી છે. સામાજિક અંતરના નામે મહાનગરપાલિકા પાસે હવે દેખાડવા જેવું કશું જ નથી રહ્યું એટલા માટે થઈને ઘર ચલાવવા રાત-દિવસ એક કરતા મધ્યમવર્ગીય લોકો પર મહાનગરપાલિકાનો ઝુલમ ગુજારવામાં આવી રહ્યો છે.
નોંધનીય છે કે, જ્યારે આખું અમદાવાદ ધમધમી રહ્યું છે ત્યારે કામગીરીનો દેખાડો કરતી મનપા સામાજીક અંતરના નામે માંડ પેટીયું રળતા ચા વાળાઓ તવાઇ બોલાવી રહી છે. બીજી તરફ ભાજપ-કોંગ્રેસના નેતાઓ મોટા તાયફા કરે ત્યારે આ જ અધિકારીઓ નતમસ્તક જોવા મળ્યા હતા. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે, નાના માણસોને જ કેમ હેરાનગતિ કરવામાં આવી રહી છે.
અમદાવાદ મનપાએ દુકાનો કરી હતી સીલ
અમદાવાદમાં કોરોના વાયરસના વધતા કેસને લઇ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શનમાં આવ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂર્વ વિસ્તારમાં કાર્યવાહી કરી અને પાનની દુકાનો સીલ દેવાઇ છે. વસ્ત્રાલ, નિકોલ સહિતના વિસ્તારોમાં દુકાનો સીલ કરી દેવાઇ છે. સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને જાહેરમાં થૂંકવા મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શનમાં આવ્યું છે.